ડુંગળી અને લસણ ભોજનનો સ્વાદ વધારવાની સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક છે.
શુદ્ધ શાકાહારી લોકો ઘણા કારણે ડુંગળી-લસણ ખાવાથી બચે છે.
કાચી ડુંગળીમાં પોટેશિયમ, વિટામિન બી6, વિટામિન સી અને આયરન હોય છે. તે શરીરની એનર્જી વધારવાનો સારો સોર્સ છે.
તે શરદી-ઉધરસને દૂર રાખવામાં ઉપયોગી છે. તેમાં મેગ્નીઝ સારી માત્રામાં મળે છે.
કાચી ડુંગળી ખાવાથી હાઈ બીપી અને નસોમાં સોજા જેવી સમસ્યાથી છુટકારો મળે છે. ડુંગળી સ્કિન અને વાળ માટે ફાયદાકારક હોય છે.
ખાલી પેટ સવારે લસણ ખાવાના ઘણા ફાયદા છે. તે કબજીયાત, ગેસ અને પેટની સમસ્યાને દૂર રાખે છે.
કાચી ડુંગળી અને લસણ ખાવાથી માઇગ્રેન અને બોડીમાં હાઇડ્રેશનની કમી પણ દૂર થાય છે.