વાતાવરણમાં ફેરફાર થાય કે ઊંઘવાનો સમય બદલી જાય ઘણા લોકોને સવારે માથું દુખવા લાગે છે..
જો તમને પણ વારંવાર માથું દુખતું હોય તો આજે તમને માથાના દુખાવાને દવા વિના મટાડવાની ટ્રિક જણાવી દઈએ
માથાના દુખાવાથી છુટકારો મેળવવો હોય તો પાણીમાં ફુદીનાના પાન ઉકાળીને તે પાણી પી લેવું. તેનાથી માથાનો દુખાવો મટી જાય છે.
માથામાં દુખાવો રહેતો હોય તો કોફી પીવાથી પણ આરામ મળે છે.
નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે એટલો જ ફાયદો માથાના દુખાવામાં કરે છે.
પાણીમાં આદુ ઉકાળીને તેને પીવાથી પણ માથાના દુખાવાની તકલીફ મટી જાય છે.
રોજ રાત્રે સુતા પહેલા દૂધમાં બદામનો પાવડર ઉમેરીને પી લેવો.