કૈમોમાઈન ટીમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે જે સારી ઊંઘ કરવામાં મદદ કરે છે. અને ગળામાં પણ આરામ મળે છે.
ચા કે ગરમ પાણીમાં આદુ ઉમેરી પીવાથી ગળાના દુખાવામાં આરામ થાય છે.
મધની મીઠાશ ઉધરસ મટાડે છે અને સાથે જ ગળાની સમસ્યા પણ દુર કરે છે.
ઈંડામાં ઘણા ન્યૂટ્રિએંટ્સ હોય છે જે શરીરને તંદુરસ્ત બનાવે છે.
ગળામાં તકલીફ હોય ત્યારે ગરમા ગરમ વેજીટેબલ સૂપ પીવું જોઈએ.
ગળામાં સમસ્યા હોય ત્યારે ચોકલેટ સહિતની વસ્તુઓ ખાવાનું ટાળો.
આ સિવાય આહારમાં લીંબુ, ટમેટા સહિતની ખાટી વસ્તુઓનો સમાવેશ પણ ન કરો.
એવી વસ્તુઓ જેમાં વધારે મસાલા હોય તેને પણ ખાવાનું ટાળવું. તેનાથી ગળામાં તકલીફ વધી જશે.