હાલના સમયમાં દરેક પોતાનું શરીર એકદમ હેલ્ધી રાખવા માંગે છે. જો કે હેલ્ધી એ છે જે નિયમોને ફોલો કરે છે.
હેલ્ધી રહેવાના નિયમોમાં એક નિયમ મોર્નિંગ વોક પણ છે. સવારે તાજી હવામાં જેટલું ચાલશો એટલા સ્વસ્થ રહેશો.
એ સવાલ પણ ઊભો થાય કે કેટલું ચાલવું તો તેનો જવાબ છે કે રોજ સવારે સરેરાશ 30 મિનિટ જેટલું ચાલો.
સવારે ટહેલવાના અનેક ફાયદા છે. પહેલો ફાયદો એ કે તમે આખો દિવસ ફ્રેશ રહેશો અને બોડીમાં એનર્જી ફીલ કરશો. આ સાથે જ મોટાપો પણ ઘટશે.
મોર્નિંગ વોકનો એ પણ ફાયદો છે કે જે લોકોને ડાયાબિટીસ હશે તે કંટ્રોલ થવામાં મદદરૂપ થશે.
જે લોકોને બીપીનો પ્રોબ્લમ હોય તે હાઈ થઈ જતું હોય તો તેમણે પણ સવાર સવારમાં ટહેલવાની આદત પાડવી જોઈએ.
સવારે ટહેલવાથી હ્રદયનું સ્વાસ્થ્ય પણ સારું થાય છે. તેનાથી હ્રદય સંલગ્ન અનેક બીમારીઓનું જોખમ ઘટે છે.
અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.