ભારતમાં આરબીઆઈ ચલણી નોટ છાપે છે. જેમાં ભારતીય ધરોહરની ઝલક પણ જોવા મળે છે.
10 રૂપિયાની નોટ પર કોણાર્કનું સૂર્ય મંદિર જોવા મળે છે.
ઈલોરાની ગુફાઓમાં આવેલા કૈલાસા મંદિરનો ફોટો 20 રૂપિયાની નોટ પર જોઈ શકાય છે.
કર્ણાટકના હમ્પીમાં આવેલા વિજય વિઠ્ઠલ મંદિરના રથનો ફોટો 50 રૂપિયાની નોટ પર છપાય છે.
ભારતના સૌથી જૂના સંસદ ભવનનો ફોટો પણ 50 રૂપિયાના નોટ પર હોય છે.
100 રૂપિયાની નોટ પર ગુજરાતના પાટણમાં આવેલી રાણીની વાવનો ફોટો જોવા મળે છે.
સમ્રાટ અશોક દ્વારા બનાવેલા સાંચીના સ્તૂપ 200 રૂપિયાની નોટ પર જોવા મળે છે.
500 રૂપિયાની નોટ પર દિલ્હીનો લાલ કિલ્લો જોવા મળે છે.
2000 રૂપિયાની ગુલાબી નોટ પર મંગલયાનનો ફોટો જોવા મળતો હતો.