માખીઓ આપણા ઘરમાં ગંદકી અને બીમારી ફેલાવે છે. આ સાથે તે ઘણા પ્રકારની સમસ્યા પેદા કરી શકે છે.
ઘરમાં માખીઓ ન હોય તે સારૂ છે. આવો જાણીએ માખીઓ ભગાડવાના આ ઉપાય.
સૌથી જરૂરી ઉપાયોમાંથી એક છે ઘરની અંદર અને બહાર સફાઈ રાખો. ભોજન ઢાંકીને રાખો અને કચરો દરરોજ સાફ કરો.
ફુદીનો, તુલસી અને લવીંગ માખીઓ દૂર રાખવામાં મદદ કરી શકે છે. તેને તમે માખીઓ વાળી જગ્યાએ રાખો.
લીંબુને અડધુ કાપી તેમાં લવીંગ લગાવી રાખો. તે માખીઓને ભગાડવાનો નેચરલ અને સરળ ઉપાય છે.
દરવાજા અને બારીઓ પર નેટ લગાવી રાખો, જેથી માખીઓ અંદર ન આવે, જેથી તમને રાહત મળશે
ઘરની અંદર ભેજ ઓછો રાખો, ખાસ કરી ઘર અને બાથરૂમમાં ભેજવાળી જગ્યાએ માખીઓ આકર્ષિત થાય છે.
કચરો માખીઓને આકર્ષિત કરે છે. તેથી કચરાના ડબ્બાને ઢાંકીને રાખો. કચરાના ડબ્બાને સાફ રાખવો પણ જરૂરી છે.