મચ્છરનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે.
મચ્છરથી મુક્તિ મેળવવા માટે કેટલાક દેશી ઉપાય કરી શકાય છે.
લસણ ફોલી અને તેને દરવાજા તેમજ બારી પાસે રાખી દો.
ફુદીનાની સુગંધથી મચ્છર દુર ભાગે છે. ફુદીનાનું પાણી ઘરમાં છાંટી શકાય છે.
કડવા લીમડાનું તેલ હાથ અને પગમાં લગાડી બહાર જશો તો એકપણ મચ્છર નજીક નહીં આવે.
સાંજના સમયે બારી-દરવાજા બંધ કરી દેવા જોઈએ.
ઘરમાંથી મચ્છર ભગાડવા હોય તો ઘરમાં કોઈપણ જગ્યાએ પાણી એકઠું થવા ન દો.
ઘરની અંદર એવા છોડ રાખો જેનાથી મચ્છર દુર ભાગે છે.