રવિવારનો દિવસ સૂર્ય દેવની આરાધના કરવાનો દિવસ છે. આ દિવસે સૂર્ય પૂજા કરવાથી વ્યક્તિને ધારી સફળતા મળે છે.
તેનાથી વિરુદ્ધ જો કેટલાક કામ કરવામાં આવે તો ભારી નુકસાન પણ ભોગવવું પડે છે.
રવિવારે સૂર્ય પૂજા કરવાથી વ્યક્તિની સફળતાના રસ્તા ખુલી જાય છે.
રવિવારે કરેલા કેટલાક કાર્યોથી સૂર્ય દેવ નારાજ થાય છે અને વ્યક્તિને અપાર કષ્ટ સહન કરવા પડે છે.
શાસ્ત્રોમાં જણાવેલું છે કે રવિવારે આ કામ ભુલથી પણ કરવા નહીં.
રવિવારે કાળા કે બ્લુ કપડા ભુલથી પણ પહેરવા નહીં. તેનાથી સૂર્ય દેવ નારાજ થાય છે.
રવિવારે તાંબાનું વેચાણ કરવાથી સૂર્ય નબળો પડે છે.
રવિવારે પશ્ચિમ દિશાની યાત્રા કરવી નહીં.
રવિવારે ઘર બનાવવાનો સામાન પણ ખરીદવો નહીં. તેનાથી કાર્યમાં બાધા આવે છે.
રવિવારે નોનવેજ ખાવું નહીં. તેનાથી સૂર્ય નબળો થાય છે.