એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની હોય છે. આ દિવસે ચોખા ખાવાની પણ મનાઈ કરવામાં આવે છે.
અગિયારસના દિવસે ચોખા ખાવા માંસ ખાવા સમાન ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં ચોખાને નરકાગામી પણ કહેવાયા છે.
વિષ્ણુ પુરાણ અનુસાર એકાદશીના દિવસે ચોખા ખાવાથી પાપ લાગે છે.
એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ એટલા માટે પણ હોય છે કે ચોખાને હવિષ્ય અન્ન કહેવામાં આવે છે.
માન્યતા છે કે અગિયારસના દિવસે જે માણસ ચોખા ખાય તેને બીજા જન્મમાં સરીસૃપ યોનીમાં જન્મ મળે છે.
એકાદશીના દિવસે ચોખા ન ખાવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે.
ચોખામાં પાણીનો ભાગ વધારે હોય છે અગિયારસના દિવસે ચોખા ખાવાથી મન ચંચળ રહે છે એટલે કે એકાગ્રતા જળવાતી નથી.