દેવતાઓમાં મહાદેવ સૌથી વધુ પૂજાય છે, પરંતુ જો મહાદેવને પૂજવામાં કોઈ ભૂલ થઈ જાત તો તેઓ ક્રોધિત પણ વધુ થાય છે
મહાદેવ ક્રોધિત થાય તો ઈચ્છિત ફળ મળતુ નથી. આવામાં જો તમે ઘરમાં શિવલિંગ રાખીને પૂજા કરતા હોવ તો ધ્યાન રાખજો
જો ઘરમાં શિવલિંગ રાખ્યું હોય તો તેના નિયમ પાળવા જરૂરી છે
નર્મદા નદીના પથ્થરમાંથી બનેલું શિવલિંગ જ ઘરમાં રાખવું જોઈએ
ઘરમાં શિવલિંગ સ્થાપિત કરતા પહેલા તે સ્થાનનું ધ્યાન રાખવું, ઘરના ખૂણામાં શિવલિંગ ન રાખવું
ઘરમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા ન કરવી જોઈએ. તેને એમ જ રાખવું અને વિધિ વિધાન મુજબ પૂજા કરવી
શિવલિંગ પર જો અભિષેક કરવો, ઘરના શિવલિંગને ક્યારેય એકલું ન રાખો, તેની સાથે પાર્વતી અને ગણેશની મૂર્તિ રાખો
શિવલિંગ પર ચઢાવાયેલો પ્રસાદ ન ખાવો, તેને અન્ય લોકોમાં વહેંચો