Nazar Dosh: નજર ઉતારવાના આ 6 ઉપાય છે અચૂક, શનિવારે કરવાથી તુરંત થાય છે અસર

નજરદોષ

ભગવાન શનિના દિવસ શનિવારે કેટલાક ઉપાય કરવાથી નજરદોષ તુરંત ઉતરે છે.

અડદ અને સરસવનું તેલ

શનિવારના દિવસે આખા અડદમાં થોડું સરસવનું તેલ મિક્સ કરી પીપળાના ઝાડની નીચે મૂકી દેવાથી નજર દોષ દૂર થાય છે.

સૂકા લાલ મરચા

જેને નજર લાગી હોય તેના ઉપરથી સૂકા લાલ મરચા 7 વખત ઉતારી તેને સળગાવી દો. મરચાં બળી ન જાય ત્યાં સુધી મરચા સામે ન જોવું.

ફટકડી અને રાઈ

નજર લાગી હોય તેના ઉપરથી ફટકડી અને રાઈ 7 વખત ઉતારી ચૂલામાં સળગાવી દો.

લીંબુ અને લવિંગ

શનિવારે હનુમાનજીની પૂજા કરો અને હનુમાનજીના મંદિરમાં 1 લીંબુમાં 4 લવિંગ લગાવી અને મૂકી આવો.

મંત્ર જાપ

શનિવારના દિવસે ઓમ શં શંનૈશ્ચરાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરો.

લોબાન

ઘરને કોઈની નજર લાગી હોય તો શનિવારે ઘરમાં ગાયના છાણા પર લોબાન ધૂપ રાખી સળગાવો..