ભગવાન શનિના દિવસ શનિવારે કેટલાક ઉપાય કરવાથી નજરદોષ તુરંત ઉતરે છે.
શનિવારના દિવસે આખા અડદમાં થોડું સરસવનું તેલ મિક્સ કરી પીપળાના ઝાડની નીચે મૂકી દેવાથી નજર દોષ દૂર થાય છે.
જેને નજર લાગી હોય તેના ઉપરથી સૂકા લાલ મરચા 7 વખત ઉતારી તેને સળગાવી દો. મરચાં બળી ન જાય ત્યાં સુધી મરચા સામે ન જોવું.
નજર લાગી હોય તેના ઉપરથી ફટકડી અને રાઈ 7 વખત ઉતારી ચૂલામાં સળગાવી દો.
શનિવારે હનુમાનજીની પૂજા કરો અને હનુમાનજીના મંદિરમાં 1 લીંબુમાં 4 લવિંગ લગાવી અને મૂકી આવો.
શનિવારના દિવસે ઓમ શં શંનૈશ્ચરાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરો.
ઘરને કોઈની નજર લાગી હોય તો શનિવારે ઘરમાં ગાયના છાણા પર લોબાન ધૂપ રાખી સળગાવો..