જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે જેને કરવાથી શુભ ફળ મળે છે.
શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાથી જ માં લક્ષ્મીનું આગમન થાય છે.
ઘરના મુખ્ય દરવાજાથી નકારાત્મક ઉર્જા પણ જીવનમાં આવે છે.
તેવામાં ઘરના મુખ્ય દરવાજા પર કેટલીક વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ અને નકારાત્મક ઊર્જાને દૂર કરી શકાય છે.
માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજા પર લવિંગ રાખવાથી ખુશહાલી આવે છે. તેથી ઘરના મુખ્ય દરવાજા પાસે બે લવિંગ જરૂર રાખવા.
ઘરના મુખ્ય દરવાજાની આજુબાજુ બે લવિંગ રાખી દેવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
ઘરના મુખ્ય દરવાજાની પાસે લવિંગ રાખવાથી કલેશથી છુટકારો મળે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે
જો તમે કોઈ જરૂરી કામ કરવા બહાર જઈ રહ્યા છો તો પહેલા ઘરના મુખ્ય દરવાજાની બહાર લવિંગ રાખી દો. ત્યાર પછી ઘરમાંથી નીકળશો તો સફળતા જરૂર થી મળશે.
જીવનમાં ધનની ખામી હોય તો મુખ્ય દરવાજા પાસે હંમેશા બે લવિંગ રાખવા. સાથે જ તિજોરીમાં લાલ રંગના કપડામાં પણ લવિંગ બાંધીને રાખો.
જો તમને લાગે છે કે ઘરને કોઈની નજર લાગી ગઈ છે તો લવિંગ અને કપૂરને ઘરમાં સળગાવવાથી નજર દોષ દૂર થઈ જશે.