વાસ્તુ શાસ્ત્રો મુજબ ઘરમાં કેટલીક તસવીરો લગાવવાથી ગુડલક આવે છે.
કેટલીક તસવીરો અશુભ હોય છે જે તમારા જીવનમાં ઉથલપાથલ સર્જી શકે છે.
ઘરમાં એવી કેટલીક 5 તસવીરો ન લગાવવી જોઈએ તે દુર્ભાગ્યને આમંત્રણ આપે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ક્યારેય મહાભારતની તસવીર ન લગાવવી જોઈએ. તે અશુભ મનાય છે. ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે ખટપટ રહે છે.
ઘરમાં ક્યારેય વહેતા ઝરણાની તસવીર ન લગાવવી જોઈએ. તેનાથી ધનહાનિના યોગ બને છે. ખર્ચા વધે છે.
ઘરમાં નટરાજ શિવની તસવીર લગાવવી પણ અશુભ ગણાય છે. શાસ્ત્રોમાં આ તસવીરને વિનાશની સૂચક ગણવામાં આવી છે.
ઘરમાં રોતા બાળકની તસવીર ક્યારય ન લગાવવી જોઈએ. તેનાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે.
સૌથી મોટી વાત એ છે કે ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીની ઊભી અવસ્થાવાળી તસવીર ન લગાવવી જોઈએ. તેનાથી ધન ભેગુ થતું નથી.