વાસ્તુ શાસ્ત્રમાં આપણા દૈનિક જીવનના દરેક પાસાઓ પર જાણકારી મળે છે.
એક્સપર્ટ અનુસાર વાસ્તુના નિયમોનું પાલન કરવાથી આપણે ઘણા પ્રકારના લાભ મળે છે.
વાસ્તુમાં પાણી સંબંધિત નિયમ જણાવવામાં આવ્યા છે. ઘરમાં ઘણા એવા સ્થાન હોય છે, જ્યાં આપણે પાણી ન રાખવું જોઈએ.
તેવામાં આવો તમને જણાવીએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના કયાં ભાગમાં પાણી ન રાખવું જોઈએ.
વાસ્તુ પ્રમાણે પાણીને ઘરમાં સાચી દિશામાં ન રાખવામાં આવે તો મુશ્કેલી આવે છે.
વાસ્તુ અનુસાર ઘરમાં દક્ષિણ-પૂર્વ, ઉત્તર પશ્ચિમ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં બોર ન કરાવવો જોઈએ.
સાથે પાણીની ટાંકી હંમેશા ઉત્તરકે પૂર્વોત્તર દિશામાં બનાવવી જોઈએ અને પાણી ઈશાન ખુણામાં રાખવું જોઈએ.
માન્યતા છે કે આ દિશામાં પાણી રાખવાથી આર્થિક નુકસાન થતું નથી અને પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે. આ સિવાય ઘરમાં એવા નળ રાખો જેમાંથી પાણી ન ટપકે.
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.