અફઘાનિસ્તાને ભારત પાસે માંગી મદદ, વિદેશ મંત્રીએ કહ્યુ- તાલિબાનથી બચાવી લો

યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનમાં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. આ વચ્ચે અફઘાનિસ્તાને ભારત પાસે મદદ માંગી છે. મંગળવારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ હનીફ અતમારે પોતાના ભારતીય સમકક્ષ જયશંકર સાથે વાત કરી છે. 
 

અફઘાનિસ્તાને ભારત પાસે માંગી મદદ, વિદેશ મંત્રીએ કહ્યુ- તાલિબાનથી બચાવી લો

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન  (Afghanistan) માંથી અમેરિકી સેનાની વાપસી બાદ સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. આ વચ્ચે અફઘાનિસ્તાને ભારત પાસે મદદ માંગી છે. મંગળવારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ હનીફ અતમાર  (Mohammad Hanif Atmar) એ પોતાના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે ફોન પર વાત કરી છે. તેમણે જયશંકરને પોતાના દેશમાં તાલિબાન દ્વારા ચાલી રહેલી હિંસા અને માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની ઇમરજન્સી બેઠક બોલાવવાની સંભાવનાઓ પર ચર્ચા કરી છે. 

અફઘાનિસ્તાનની સ્થિતિ ખરાબ
અફઘાન વિદેશ મંત્રાલયે કહ્યુ કે અતમારે યુદ્ધગ્રસ્ત દેશમાં તાલિબાન અને વિદેશી આતંકવાદી સમૂહોના હુમલાથી ઝડપથી ખરાબ થઈ રહેલી સ્થિતિ વિશે વાત કરી છે. સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાનું આહ્વાન કર્યુ છે. અતમારે ટ્વીટ કર્યુ- ભારતીય વિદેશ મંત્રી ડો. જયશંકરની સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાનું આહ્વાન કર્યુ છે. અને તે વિશે ચર્ચા કરી છે. 

અફઘાનિસ્તાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી
તેમણે કહ્યુ- સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુહને તાલિબાનની હિંસા અને અત્યાચારથી સામે આવી રહેલી ત્રાસદીને રોકવામાં મહત્વની ભૂમિકા નિભાવવી જોઈએ. સુરક્ષા પરિષદના અધ્યક્ષના રૂપમાં ભારતના પ્રયાસની પ્રશંસા કરુ છું. મહત્વનું છે કે ભારત ઓગસ્ટ મહિના માટે સુરક્ષા પરિષદનું અધ્યક્ષ છે. 

અફઘાન વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરી કહ્યું- વિદેશી લડાકો અને આતંકવાદી સમૂહો સાથે મિલીભગતથી કરવામાં આવી રહેલા તાલિબાની હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું અને ક્ષેત્રની સ્થિરતા અને સુરક્ષા પર તેમના સંભવિત પરિણામો વિશે વાત કરી. અતમારે જયશંકર સાથે તાલિબાન અને વિદેશી આતંકવાદી સમૂહો તરફથી વધતી હિંસા તથા માનવાધિકારોના વ્યાપક ઉલ્લંઘન પર વાત કરી છે. 

UNSC ની ઇમરજન્સી બેઠક બોલાવવાની માંગ
તેમણે પ્રસ્તાવ આપ્યો કે અફઘાનિસ્તાનમાં હિંસાની તત્કાલ સમાપ્તિ પર ધ્યાન આપવાની સાથે સુરક્ષા પરિષદની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવે. અફઘાન વિદેશમંત્રીએ કહ્યુ કે, જયશંકરે અફઘાનિસ્તાનમાં હિંસા અને માનવાધિકારોના ઉલ્લંઘનના વધતા મામલા પર ભારત તરફથી ચિંતા વ્યક્ત કરી અને દેશમાં શાંતિ લાવવા માટે પગલા ભરવાનું આહ્વાન કર્યું છે. 

મહત્વનું છે કે અમેરિકી સૈનિકોની વાપસી શરૂ થયા બાદ તાલિબાન અફઘાનિસ્તાનમાં સતત હુમલા કરી રહ્યું છે, અને દેશ પર કબજો કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news