)
શ્વાસ લીધા વગર એક સેકન્ડ પણ ન ચાલે. આપણે સમજ્યા વિચાર્યા વગર શ્વાસ લેતા હોઈએ છીએ અને કાઢીએ છીએ. આપણે એમ માનતા હોઈએ છીએ કે હવા એકસરખી જ હશે. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ધરીત પર ઓક્સીજન હંમેશા માટે નથી. રિસર્ચ મુજબ ધરતી પર રહેલો ઓક્સીજન લગભગ એક અબજ વર્ષ સુધી જ રહી શકશે. જો કે આ સમયમાં થોડું આગળ પાછળ થઈ શકે છે. વિસ્તારથી આ વાત સમજો.
શરૂઆતમાં જેવી હતી એવી થશે હવા
જ્યારે ઓક્સીજન ઘટવાનો શરૂ થશે તો આ બદલાવ ખુબ તેજ હશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે સમયે ધરતીની હવા જેવી બહુ પહેલાના સમયમાં હતી એવી થઈ જશે. જ્યારે ઓક્સીજન લગભગ નહિવત હતો. તે સમય ગ્રેટ ઓક્સીડેશન ઈવેન્ટ પહેલાના સમય તરીકે ગણાય છે. જ્યારે ફક્ત એવા સુક્ષ્મ જીવો હતા જેમને ઓક્સીજનની બહુ જરૂર પડતી નહતી.
સૂરજની વધતી ગરમી કારણભૂત
આ બદલાવનું કારણ માણસ કે પ્રદૂષણ નહીં હોય પરંતુ સૂરજ પોતે હશે. સમયની સાથે સૂરજ વધુ ચમકીલો અને ગરમ થતો જશે. તેના કારણે ધરતી પર ખડકોનો ઘસારો વધુ તેજ થશે જેનાથી હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ ધીરે ધીરે ઘટતો જશે.
ઝાડ-છોડને અસર થશે
કાર્બન ડાયોક્સાઈડ ઘટવાથી ઝાડવા માટે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા મુશ્કેલ બનશે. જ્યારે ઝાડવા ઓછો ઓક્સીજન બનાવશે તો આખી ધરતીની હવામાં ઓક્સીજન લેવલ ઘટવા લાગશે. શરૂઆતમાં આ ઘટાડો ધીમો હશે પરંતુ એક સમય બાદ તે ખુબ ઝડપથી નીચે આવશેઅને પછી આ જ રીતે ધીરે ધીરે ખતમ થશે.
જાનવરો અને માણસો ખતમ થઈ જશે
એક રિસર્ચનું માનીએ તો એક લેવલ પાર થતા ધરતી પર ઓક્સીજન એટલો ઘટી જશે કે માણસો, જાનવર અને ઝાડ છોડ જીવતા બચી શકશે નહીં. તે સમયે ધરતીની હવામાં મીથેન વધી જશે. કાર્બન ડાયોક્સાઈડ ખુબ ઘટી જશે. ઓઝોનનું લેયર પણ ખતમ થઈ જશે. વૈજ્ઞાનિક કાઝૂમી ઓઝાકીના જણાવ્યાં મુજબ ત્યારે ધરતી પર ફક્ત એવા જીવ બચશે જેમને જીવવા માટે ઓક્સીજનની જરૂર પડતી નહીં હોય.
આ જોખમ અત્યારનું નથી
વૈજ્ઞાનિકોનું સ્પષ્ટપણે કહેવું છે કે આ બદલાવ અત્યારે કે આવનારી પેઢીઓમાં નહીં જોવા મળે. માણસનો ઈતિહાસ લાખો વર્ષનો છે અને આ બદલાવ અબજો સાલમાં થશે. તેનો અર્થ એ નથી કે આપણને જલદી શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગશે. તે ધરતીના બહુ લાંબા ભવિષ્યની વાત છે.
બીજી દુનિયામાં જીવનની શોધ
આ રિસર્ચનો એક મોટો અર્થ એ પણ છે કે જો આપણે અન્ય ગ્રહો પર જીવન શોધી રહ્યા છીએ તો ફક્ત ઓક્સીજનને જ જીવનનો સંકેત માનવો યોગ્ય નહીં હોય. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોઈ ગ્રહ પર જીવનનો ઓક્સીજનવાળો દોર તેની કુલ ઉંમરના બસ 20થી 30 ટકા હોઈ શકે છે.
ધરતી અને જીવનનો ગાઢ સંબંધ
આ રિસર્ચ જણાવે છે કે ધરતીની હવા અને જીવન એક બીજાથી ગાઢ રીતે જોડાયેલા છે. લાંબા સમયમાં ધરતીનું કુદરતી ચક્ર કાર્બન ડાયોક્સાઈડ ઓછું કરે છે, જેનાથી ફોટોસિન્થેસિસ નબળું થાય છે અને છેલ્લે ઓક્સીજન પણ ખતમ થવા લાગે છે.
હંમેશા માટે ધરતી આવીને આવી નહીં રહે
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે ઓક્સીજનવાળા દોરમાંઆપણે રહી રહ્યા છીએ તે ધરતીના ઈતિહાસમાં ખુબ ખાસ છે. પરંતુ આ હંમેશા માટે આવો નહીં રહે. આ રિસર્ચમાં જાણવા મળે છેકે ધરતી રહેવા લાયક જરૂર છે પરંતુ હંમેશા માટે આવી નહીં રહે.