એફિલ ટાવર 2026માં તોડી પડાશે ? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે દાવો, જાણો શું છે હકીકત

Eiffel Tower : પેરિસનો ફેમસ એફિલ ટાવર 2 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે બંધ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક દાવો વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ટાવર 2026માં તોડી પાડવામાં આવશે. ત્યારે સાચી હકીકત શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
 

એફિલ ટાવર 2026માં તોડી પડાશે ? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે દાવો, જાણો શું છે હકીકત

Eiffel Tower : ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલો એફિલ ટાવર તેના નિર્માણકાળથી જ વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ તેની મુલાકાત લે છે. જોકે, સોશિયલ મીડિયા પર તાજેતરમાં વાયરલ થયેલા એક દાવાએ તેના પ્રશંસકોને ચિંતામાં મૂકી દીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પેરિસનું ગૌરવ ગણાતા એફિલ ટાવરને 2026માં તોડી પાડવામાં આવશે. આ દાવાઓમાં લીઝની સમાપ્તિ, માળખાકીય નબળાઈ અને જાળવણીનો ઊંચો ખર્ચ જેવા કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે.

વાયરલ દાવો ક્યાંથી આવ્યો ?

Add Zee News as a Preferred Source

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવા પાછળનું મુખ્ય કારણ 18 સપ્ટેમ્બર, 2025ના રોજ ટેપિયોકા ટાઇમ્સમાં પ્રકાશિત થયેલ એક અહેવાલ હોવાનું માનવામાં આવે છે. આ વેબસાઇટ તેના પેરોડી કન્ટેન્ટ માટે જાણીતી છે. 

વેબસાઇટના અહેવાલમાં એક કાલ્પનિક પ્રવક્તાનું નિવેદન પ્રકાશિત થયું, જેમણે એફિલ ટાવર વિશે કહ્યું, "અમારું પ્રદર્શન સારું રહ્યું છે. તે લાંબા સમયથી ફેમસ છે, પરંતુ હવે કોઈ ત્યાં જતું નથી, તેથી અમે તેને બંધ કરી રહ્યા છીએ." કાલ્પનિક પ્રવક્તાએ આગળ કહ્યું, "એવું લાગે છે કે ઇન્ટરનેટે અમને પકડી લીધા છે અને નાના બાળકો હવે ઉપર જવા માંગતા નથી. અમે ટાવરની આસપાસ ડ્રોનની સંખ્યામાં ભારે વધારો જોયો છે." કદાચ આ જ કારણ છે કે મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

આ લેખ ટાવર તોડી પાડવાનો દાવો કરે છે

માત્ર આટલું જ નહીં, લેખમાં આગળ દાવો કરવામાં આવ્યો છે કે ટાવર પર ખિસકોલી અને કબૂતરોનો જમાવડો છે. એફિલ ટાવરને વોટર સ્લાઇડ, લાસ વેગાસ શૈલીનું સંગીત સ્થળ અથવા હિપ્પીથી ભરપૂર પેરિસ બર્નિંગ મેનની જગ્યાએ મૂકવાની ચર્ચા થઈ રહી છે. લેખમાં જણાવાયું છે કે, પરિણામ ગમે તે હોય તેને 2026ની શરૂઆતમાં તોડી પાડવાનું શરૂ થશે. તેથી જો તમે વૃદ્ધ અને નોસ્ટાલ્જિક છો તો પેરિસની મુલાકાત લેવાનો આ યોગ્ય સમય છે.

જોકે, ઉપર જણાવ્યા મુજબ, આ એક પેરોડી વેબસાઇટ છે જે વ્યંગાત્મક લેખો લખે છે અને આ દાવામાં કોઈ સત્ય નથી. તોડી પાડવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ન તો સોસાયટી ડી'એક્સપ્લોઇટેશન ડે લા ટૂર એફિલ, જે ટાવરનું સંચાલન કરે છે, કે ન તો ફ્રેન્ચ હેરિટેજ સત્તાવાળાઓએ ટાવર તોડી પાડવાની યોજનાનો કોઈ સંકેત આપ્યો છે.

ટાવર કેમ બંધ કરવામાં આવ્યો હતો ?

2જી ઓક્ટોબરે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતા ટાવરના તોડી પાડવા અંગેની અટકળોએ વેગ પકડ્યો હતો. જોકે, આ બંધ કોઈપણ આયોજિત તોડી પાડવા સાથે જોડાયેલ નથી. ફ્રેન્ચ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાળને કારણે આ બંધ થયો હતો, જેની અસર સમગ્ર ફ્રાન્સના મજૂરો પર પડી હતી. 2023માં હડતાળને કારણે ટાવર અગાઉ બંધ કરવામાં આવ્યો હતો. અધિકારીઓને આશા છે કે મજૂર વાટાઘાટો પછી સ્થળ પર સામાન્ય કામગીરી ફરી શરૂ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, બિઝનેસ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. હાલમાં Zee 24 કલાકમાં

...और पढ़ें

Trending news