Bangladesh યાત્રાનો બીજો દિવસ: Matua સમુદાય વચ્ચે બોલ્યા PM Modi, 'આપણો મનથી મનનો સંબંધ છે'

ત્યારબાદ પીએમ મોદી ગોપાલગંજ જિલ્લાના તુંગીપારા સ્થિત બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબુર્રહમાન (Bangabandhu Sheikh Mujibur Rahman) ની સમાધિ પર ગયા. તે આમ કરનાર પહેલાં ભારતીય નેતા છે. પીએમ મોદી આજે બંગબંધુ-બાપૂ મ્યૂઝિયમનું ઉદઘાટન કરશે.  

Bangladesh યાત્રાનો બીજો દિવસ: Matua સમુદાય વચ્ચે બોલ્યા PM Modi, 'આપણો મનથી મનનો સંબંધ છે'

ઢાકા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) બાંગ્લાદેશ (Bangladesh) ની યાત્રા પર છે અને પોતાના બીજા દિવસની શરૂઆત તેમણે યશોરેશ્વરી કાલી મંદિર (Jeshoreshwari Kali Temple) માં પૂજા અર્ચના કરી. પીએમ મોદી ઇશ્વરપુર ગામ સ્થિત યશોરેશ્વરી કાલી મંદિરના દર્શન કરવા પહોંચ્યા. આ મંદિર ભારત અને પડોશી દેશોમાં સ્થિત 51 શક્તિપીઠોમાંથી એક છે. 

ત્યારબાદ પીએમ મોદી ગોપાલગંજ જિલ્લાના તુંગીપારા સ્થિત બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબુર્રહમાન (Bangabandhu Sheikh Mujibur Rahman) ની સમાધિ પર ગયા. તે આમ કરનાર પહેલાં ભારતીય નેતા છે. પીએમ મોદી આજે બંગબંધુ-બાપૂ મ્યૂઝિયમનું ઉદઘાટન કરશે.  

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઓરાકાંડીમાં એક મિડલ સ્કૂલને મોર્ડન બનાવીશું અને એક પ્રાથમિક સ્કૂલ પણ ખોલીશું. પ્રધાનમંત્રીએ મતુઆ સમુદાયના લોકો સાથે વાતચીત દરમિયાન આ વાત કહે હતી. 

બે દિવસની બાંગ્લાદેશની યાત્રા પર શુક્રવારે ઢાકા પહોંચેલા પ્રધાનમંત્રીએ ઓરામકાંડીમાં સ્થિત મતુઆ મંદિરમાં શનિવારે પૂજા અર્ચના કરી. ઓરાકાંડીમાં જ મતુઆ સમુદાયના આદ્યાત્મિક ગુરૂ હરિચંદ્ર ઠાકુરનો જન્મ થયો હતો. 

પીએમ મોદીએ કહ્યું કે હું શ્રી શ્રી હરિચંદ્રજીના ચરણોમાં શીશ ઝુકાવીને નમન કરું છું. અત્યારે મારી અહીં કેટલાક લોકો સાથે વાત થઇ રહી હતી તો તેમણે કહ્યું કે કોણે વિચાર્યું હતું કે ભારતના પીએમ ઓરાકાંડી આવશે. ભારતમાં રહેનાર માતુઆ સમુદાયના મારા ભાઇ-બહેનો જે ઓરાકાંડી આવીને અનુભવે છે એવું જ હું અનુભવી રહ્યો છું. આ દિવસની આ પવિત્ર અવસરની પ્રતીક્ષા મને ઘણા વર્ષોથી હતી. વર્ષ 2015 માં જ્યારે હું પીએમ તરીકે બાંગ્લાદેશ આવ્યો હતો, ત્યારે મેં અહીં આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આજે સપનું પુરૂ થયું.  

પ્રધાનમંત્રી કહ્યું કે મને લાગે છે કે શ્રી શ્રી હરિચંદ ઠાકુરજીનો પ્રેમ મળે છે. હું તેમના આર્શિવાદનો પ્રભાવ માનું છું. મને યાદ છે કે પશ્વિમ બંગાળમાં ઠાકુર નગરમાં હું જ્યાં ગયો હતો તો મારા મતુઆ ભાઇ બહેનોએ પરિવારના સભ્યોની માફક મને સ્નેહ આપ્યો હતો. હું બાંગ્લાદેશના પવિત્ર પર્વ પર ભારતના 130 કરોડ ભાઇ બહેનોની તરફથી શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કાલે ઢાકા નેશનલ ડે કાર્યક્રમ દરમિયાન અદભૂત ઝાંખી જોઇ. 

તેમણે આગળ કહ્યું કે આગામી દિવસોમાં પહેલાં બંગબધુ શેખ મુજીબુર્રહમાનની સમાધિ પર ગયો. તેમાં બાંગ્લાદેશના લોકોની અતૂટ શ્રદ્ધા છે. ભારત અને બાંગ્લાદેશની સરકારો મળીને કામ કરી રહી છે. આપણો મનથી મનનો અને જનથી જનનો સંબંધ છે. ભારત અને બાંગ્લાદેશ બંને દેશ પોતાની પ્રગતિથી વિશ્વની પ્રગતિ જોવા માંગે છે. આ શિક્ષણ હોરીઝાન ઠાકુરજીએ આપી હતી. 

યશોરેશ્વરી મંદિરમાં પૂજા બાદ પીએમ મોદીએ કહ્યું કે ચૈત્ર નવરાત્રિ આવવાની છે. તે પહેલાં માં કાલી શક્તિપીઠમાં શીશ ઝુકાવ્યું. તેમના આર્શિવાદનું સૌભાગ્ય મળ્યું. માંને પ્રાર્થના કરી કે કોરોના સંકટમાંથી મુક્તિ અપાવે. સમગ્ર માનવ જાતિ માટે પાર્થના કરી. મારો પ્રયત્ન રહે છે કે તક મળે તો 51 શક્તિપીઠોમાં શીશ ઝુકાવું. અહીંયા એક કોમ્યુનિટી હોલની જરૂર છે. ડિઝાસ્ટર વખતે આ બધા માટે શેલ્ટર હશે. પૂજા પાઠ માએ પણ ઉપયોગ થશે.

Museum નું કરશે ઉદઘાટન
પીએમ મોદી આજે યશોરેશ્વરી કાલી મંદિર સાથે જ ઓરાકાંડીના મતુઆ સમુદાય (Hindu Matua Community) ના મંદિર પણ જશે. ઓરાકાંડી તે જગ્યા છે જ્યાં મતુઆ સમુદાયના સંસ્થાપક હરિશચંદ્ર ઠાકુરનો જન્મ થયો હતો. તમને જણાવી દઇએ કે મતુઆ સમુદાય બંગાળ ચૂંટણીમાં મતોની દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. પ્રધાનમંત્રી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શેખ મુજીબુર્રહમાનની સમાધિ પર જશે. તે આમ કરનાર પ્રથમ ભારતીય નેતા છે. ત્યારબાદ પીએમ બંગબંધુ-બાપૂ મ્યુઝિયમનું ઉદઘાટન કરશે. 

Sheikh Hasina સાથે થશે મુલાકાત
પીએમ મોદી બાંગ્લાદેશના પીએમ શેખ હસીના (Sheikh Hasina) સાથે વાતચીત પણ કરશે. આ દરમિયાન બંનેની વચ્ચે કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી અબ્દુલ મોમિનએ પીએમ મોદીના પ્રવાસ પહેલાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ઓછામાં ઓછા પાંચ કરાર પર હસ્તાક્ષર થવાની આશા છે. શનિવારે સાંજે દિલ્હી પરત ફરતાં પહેલાં પીએમ મોદી બાંગ્લાદેશના રાષ્ટ્રપ્તિ અબ્દુલ હમીદ સાથે પણ મુલાકાત કરશે. 

પીએમ મોદીનો આજનો કાર્યક્રમ
10:05 AM - યશોરેશ્વરી કાલી મંદિરમાં પૂજા-અર્ચના કરશે પ્રધાનમંત્રી મોદી
11:30-11:50 AM- બંગબંધુની સમાધિ પર માળા અર્પણ કરશે પીએમ 
12:20-13:00 PM - ઓરાકાંડીમાં મતુઆ સમુદાયના મંદિરના દર્શન 
16:00-17:50 PM -  બાંગ્લાદેશના પીએમ સાથે મુલાકાત, કરાર પર હસ્તાક્ષરની આશા 
18:10-18:40 PM - બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
19:10 PM - દિલ્હી પરત થવા માટે રવાના થશે પીએમ મોદી 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news