)
શ્રીલંકાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મિત્ર વિભૂષણ મેડલથી સન્માનિત કર્યા છે. શ્રીલંકાની સરકારે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને સારા કરવા અને પરસ્પર સંયુક્ત સાંસ્કૃતિક વારસાને આગળ વધારવા માટે પીએમ મોદીને સન્માનિત કર્યા છે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધીમાં પીએમ મોદીને વિદેશથી 22 આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યા છે. આ પુરસ્કારમાં બનેલું ધર્મ ચક્ર બૌદ્ધ વારસાને દર્શાવે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધ છે. આ એવોર્ડ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી શ્રીલંકાનો ઝૂકાવ ચીન તરફ જોવા મળતો હતો.
શ્રીલંકામાં દબદબો વધારવા માટે ચીન અનેક વર્ષોથી ધમપછાડા કરી રહ્યું છે. જ્યારે પીએમ મોદીનો શ્રીલંકા પ્રવાસ અને તેમને મિત્ર વિભૂષણથી સન્માનિત કરવા એ એ વાતનો સંકેત છે કે શ્રીલંકા પોતાની જૂની નીતિ હેઠળ ભારતને જ વધુ મહત્વ આપવા માંગે છે.
Colombo: Sri Lankan President Anura Kumara Dissanayake says, "India and Sri Lanka believe the capacity to stand up in South Asia, and we have a common objective towards that...We are neighbours with deep historic and cultural ties that go back over long period of time, and our… https://t.co/2mSXA8qYbf pic.twitter.com/W6iF6YFvIf
— ANI (@ANI) April 5, 2025
શ્રીલંકના રાષ્ટ્રપતિ અનુરાકુમાર દિસાનાયકેએ પીએમ મોદીને મિત્ર વિભૂષણથી નવાજ્યા. પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે આ પુરસ્કાર મારા માટે નહીં પરંતુ 140 કરોડ દેશવાસીઓ માટે સન્માનની વાત છે. તે શ્રીલંકા અને ભારત વચ્ચે ગાઢ મિશ્રતા અને ઐતિહાસિક સંબંધોને દર્શાવે છે. જ્યારે દિસાનાયકેએ કહ્યું કે ભારત અને શ્રીલંકાના સંબંધ હંમેશા ગાઢ રહ્યા છે. આપણા વચ્ચે ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધ છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સન્માનના હકદાર છે.
#WATCH | Colombo | Prime Minister Narendra Modi says, "Tamil saint Thiruvalluvar said - what could be bigger protection against the enemy if not the shield of a true friend and his friendship? President Anura Kumara Dissanayake had chosen India for his first foreign visit. Today,… pic.twitter.com/GoD3d1Bg3O
— ANI (@ANI) April 5, 2025
મિત્ર આભૂષણ મેડલ પર પુન કળશ બનેલો છે. આ ઉપરાંત તેના પર ધાનની પત્તીઓ જોઈ શકાય છે. જે સમૃદ્ધિની નિશાની છે. આ ઉપરાંત તેના પર નવ રત્નો બનાવવામાં આવ્યા છે. મેડલ પર ચંદ્રમા અને સૂર્યની કોતરણી છે જે બંને દેશો વચ્ચેના સંબંધોના ઈતિહાસ તરફ સંકેત આપે છે. તેનો અર્થ છે કે પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધી અને આજથી ભવિષ્યમાં લાંબા સમય સુધી બંને દેશો વચ્ચે સંબંધ મધુર રહેશે.
#WATCH | Colombo: Sri Lankan President Anura Kumara Dissanayake says, "Buddhism is the most precious gift received by us from India...I would like to emphasize that the support of India has certainly been important for us. PM Modi's concept of 'Sabka Saath Sabka Vikas' is a… pic.twitter.com/QEAibhm6yp
— ANI (@ANI) April 5, 2025
અનેક કરાર થયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રતિ દિસાનાયકે વચ્ચે વાર્તા બાદ ભારત અને શ્રીલંકાએ ત્રિંકોમાલીને ઉર્જા કેન્દ્ર તરીકે વિક્સિત કરવા માટેના કરાર પર સહી કરી. આ ઉપરાંત ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રીલંકાને બહુ-ક્ષેત્ર અનુદાન સહાય પર સહમતિ બની. બંને દેશોએ રક્ષા સહયોગ અંગેના કરાર ઉપર પણ સહી કરી. પીએમ મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકેએ સામપુર સૌર ઉર્જા પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કર્યું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકેએ મોદીને આશ્વાસન આપ્યું કે શ્રીલંકા પોતાની જમીનનો ઉપયોગ ભારતના સુરક્ષા હિતોને પ્રતિકૂળ પગલું ભરવા માટે નહીં થવા દે.