PNBની નીરવ મોદીવાળી બ્રાંચમાં જ ફરી 10 કરોડનો ગોટાળો

પંજાબ નેશનલ બેંકે જ પોતાની બ્રાન્ચમાં થઇ રહેલા ગોટાળાની ફરિયાદ સીબીઆઇને કરી હતી

PNBની નીરવ મોદીવાળી બ્રાંચમાં જ ફરી 10 કરોડનો ગોટાળો

મુંબઈ : PNBનો નીરવ મોદી કાંડની શ્યાહી હજી સુકાઇ નથી ત્યાં પીએનબી બેંકની તે જ શાખામાં વધારે એક ગોટાળો સામે આવ્યો છે. પંજાબ બેંકની બ્રેડી હાઉસ કેસમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે. મુંબઈની PNBની બ્રેડી હાઉસ બ્રાંચમાં 9 કરોડની છેતરપિંડીની ફરિયાદ CBI સમક્ષ આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એપ્રિલ, 2017માં બેંક પાસેથી લેવામાં આવેલ ઉધાર રકમની ફરિયાદ થઈ છે.

ચંદ્રી પેપર્સ કંપનીના નામે ગોકુલનાથ શેટ્ટી અને હેમંત ખરાતે 9 કરોડનું ફ્રોડ આચર્યું છે. PNBના બ્રેડી હાઉસમાંથી એપ્રિલ, 2017માં ઈશ્યુ કરવામાં આવેલ 9.1 કરોડના 2 LoU ઈશ્યુ કરવામાં આવ્યા હતા. કંપની અને તેના પ્રમોટર આ બે લેટર ઓફ અન્ડરટેકિંગ(LoU) એટલેકે ગેરન્ટીના પૈસા નથી ચૂકવી રહ્યાં અને સામે ખરીદેલ માલ-સામાન્ય અથવા મિલકત નથી દર્શાવી રહ્યાં. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રેડી હાઉસ બ્રાંચ એ જ બ્રાંચ છે.

જેમાંથી નીરવ મોદી અને કંપનીઓનું 12,000 કરોડનું કાળું કૌભાંડ બહાર આવ્યું હતુ. જોકે CBIની ચાર્જશીટ બહાર આવશે ત્યારે એ વાતનો ખુલાસો થશે કે કંપનીઓ બેંક સાથે છેતરપિંડી કરી છે કે પછી બેંકના કર્મચારીઓ સાથેની સાંઠગાંઠથી આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. સવાલ એ પણ છે કે આ 9 કરોડનો ફ્રોડનો મામલો બેંકે સામેથી CBI સમક્ષ રજૂ કર્યો છે અથવા અન્ય કોઈ તપાસ એજન્સી કરેલી ઈન્વેસ્ટીગેશનમાં આ ધાંધલી બહાર આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news