#MeToo બનશે આમિરના શો 'સત્યમેવ જયતે'ની સિઝન 4નો મહત્વનો હિસ્સો ?

આમિર ખાનનું પ્રોડક્શન એવો આ શો ગંભીર મુદ્દાઓને ઉઠાવવા માટે જાણીતો છે

#MeToo બનશે આમિરના શો 'સત્યમેવ જયતે'ની સિઝન 4નો મહત્વનો હિસ્સો ?

નવી દિલ્હી : મહિલાઓ સાથે આચરવામાં આવતી યૌન શોષણની ઘટનાઓના વિરોધમાં #MeToo કેમ્પેઇન આખા દેશમાં ફેલાઈ રહ્યું છે. આ અભિયાનને કારણે આમિર ખાને તો ગુલશન કુમારના જીવન પર બની રહેલી 'મુગલ'માં પણ કામ કરવાનો ઇનકાર કરી દીધો છે. હવે સમાચાર મળ્યા છે કે આમિર દેશમાં ચાલી રહેલા આ અભિયાનથી પોતાના સુપરહિટ ટીવી શો 'સત્યમેવ જયતે'ની ચોથી સિઝનની શરૂઆત કરવાના પ્લાનિંગમાં છે. 

અમારા સહયોગી અખબાર ડીએનએમાં આવેલા સમાચાર પ્રમાણે આમિર 2014 પછી ફરી પોતાના આ શોને ટીવી પર લાવવાની તૈયારી કરી રહ્યો છે. આ સિરિઝની છેલ્લી સિઝન 2014ના ઓક્ટોબર મહિનામાં પ્રસારિત થઈ હતી. હવે ચર્ચા છે કે આમિર પોતાના આ શોની શરૂઆત આમિરના શોની નવી સિઝન આવતા વર્ષે જાન્યુઆરી મહિનાથી શરૂ થઈ શકે છે. આમિર આ શરૂઆત #MeToo કેમ્પેઇન અને એની સાથે જોડાયેલી વાર્તાઓથી કરવાનો છે. 

છેલ્લા કેટલાક સમયમાં બોલિવૂડ, રાજકારણ અને મીડિયા સાથે જોડાયેલી અનેક મોટી હસ્તીઓ સામે મહિલાઓએ યૌન શોષણના આરોપ લગાવ્યા છે. ફિલ્મમેકર સાજિદ ખાન અને નાના પાટેકર સામે મહિલાઓએ આરોપ લગાવ્યા પછી આ બંનેને આગામી ફિલ્મ 'હાઉસફુલ 4'માંથી હટાવી દેવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news