સાત વર્ષ મોટી હિરોઇન સાથે પ્રેમ અને પછી 20 જ દિવસમાં લગ્ન ! ઓળખો આ 'માથાભારે' બર્થ-ડે બોયને

આ હિરો અનેકવાર પોલીસ સ્ટેશનના ચક્કર કાપી ચૂક્યો છે

સાત વર્ષ મોટી હિરોઇન સાથે પ્રેમ અને પછી 20 જ દિવસમાં લગ્ન ! ઓળખો આ 'માથાભારે' બર્થ-ડે બોયને

મુંબઈ : બોલિવૂડમાં માથાભારે એક્ટરની મથરાવટી ધરાવતા આદિત્ય પંચોલીનો 4 જાન્યુઆરીએ જન્મદિવસ છે. ચાર જાન્યુઆરી, 1965ના દિવસે ફિલ્મમેકર રાજન પંચોલીનાં પત્ની અરુણાએ મુંબઈમાં આદિત્યને જન્મ આપ્યો ત્યારે પુત્રનું નામ નિર્મલ પાડ્યું હતું. જોકે પછી આ નામ બદલીને આદિત્ય કરી દેવામાં આવ્યું હતું. 

આદિત્યના અંગત જીવનની વાત કરીએ તો કોકટેલ ઝિંદગી નામના મેગેઝિનમાં આપેલી માહિતી પ્રમાણે આદિત્ય પંચોલી સફળ ફિલ્મ અભિનેતા બનવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો એ દરમિયાન 1986માં જ તેની મુલાકાત જાણીતી અભિનેત્રી ઝરીના સાથે થઈ હતી. આદિત્ય ઝરીનાને એક ફિલ્મના સેટ પર મળ્યો એ સાથે જ તે ઝરીનાના પ્રેમમાં પડી ગયો. આદિત્યને કેટલીય સુંદરીઓ સાથે પ્રેમમાં પડવાનો અનુભવ છે. જોકે એ કિસ્સામાં વાત પ્રેમથી આગળ વધી ગઈ. ઝરીના પણ આદિત્ય તરફ આકર્ષાઈ હતી અને તેમની પ્રથમ મુલાકાત થઈ એ પછી 20 જ દિવસમાં એ બંનેએ લગ્ન કરી લીધા હતા! 

આદિત્ય પંચોલીએ ઝરીના વહાબ સાથે લગ્ન કર્યા ત્યારે એ પોતે તો નારી હીરાની કંપનીની છ વીડિયો ફિલ્મ માટે કામ કરી રહ્યો હતો, પણ સામે ઝરીના જાણીતી હિરોઈન બની ચૂકી હતી અને તેણે ઘણી કંપનીઝ માટે મોડેલિંગ પણ કર્યું હતું. ઝરીના વહાબે 1974થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો અને એ પહેલા અને ફિલ્મોમાં અભિનય કરવા દરમિયાન પણ તેણે મોડેલિંગ કરીને મોડેલ અને હિરોઈન તરીકે નામના મેળવી હતી. આવી 12 વર્ષ જૂની હિરોઈન કમ મોડેલ આદિત્ય પંચોલી જેવા નવાસવા અભિનેતાના પ્રેમમાં પડે એ એ વાતની બધાને નવાઈ લાગી હતી. ઝરીના આદિત્ય પંચાલી કરતા સાત વરસ મોટી હતી! 

ઝરીના સાથે લગ્ન કર્યા પછી માત્ર થોડા મહિનાઓમાં જ આદિત્યએ પોત પ્રકાશ્યું. તેણે કોઈ સાથે મારામારી કરી અને એ વાત અખબારોમાં પહોંચી ગઈ. એ વખતે આદિત્ય ઝરીનાની આમાન્ય રાખતો હતો. ઝરીનાએ એ ઘટનાના પંદર દિવસ પછી એક વાર આદિત્યને સામે બેસાડીને સલાહ આપી કે આ રીતે પબ્લિકની વચ્ચે ગુસ્સે નહીં થવાનું! થોડા સમય માટે આદિત્યએ એ સલાહનો અમલ કર્યો હતો. પણ થોડા જ સમય પછી ફરીવાર આદિત્ય ફુલ ફોર્મમાં આવી ગયો હતો અને પછી તો ઝરીના વહાબની જિંદગીમાં જાણે લખાયું જ હોય એમ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ ઊભી થતી રહી છે. આ તો ઠીક પુત્ર સૂરજ પંચોલીને કારણે પણ તેણે ઘણું વેઠવું પડ્યું છે અને જિયા ખાનની આત્મહત્યાને કારણે તેણે સૂરજનાં જામીન મેળવવા માટે દોડાદોડ કરવી પડી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news