જેને ફિલ્મોમાં જરાય રસ નહોતો એ કેવી રીતે બની ગઈ બોલીવુડની 'રાની'? જાણો જીવનમાં કઈ રીતે આવ્યો વળાંક

Rani Mukerji Birthday: અભિનય અને ફિલ્મો ક્યારેય રાની મુખર્જીની પહેલી પસંદ નહોતી. રાની તો ફિલ્મોમાં પગ સુદ્ધા પણ મુકવા માંગતી નહોંતી. રાનીના જન્મ દિવસ પણ જાણો તેના વિશેની આવી જાણી અજાણી વાતો...

જેને ફિલ્મોમાં જરાય રસ નહોતો એ કેવી રીતે બની ગઈ બોલીવુડની 'રાની'? જાણો જીવનમાં કઈ રીતે આવ્યો વળાંક

નવી દિલ્લીઃ આજે બોલીવુડની રાણીનો જન્મ દિવસ છે. અમે વાત કરી રહ્યાં છીએ લાખો દિલોની ધડકન એવી રાની મુખર્જીની. ફેશન વર્લ્ડ અને ફિલ્મી દુનિયામાં અભિનેત્રી તરીકે કરિયર બનાવવું અને પછી પોતાની જાતને આ ઈન્ડસ્ટ્રીમાં ટકાવી રાખીને હીટ થવું એ કોઈ સામાન્ય બાબત નથી. જોકે, આ બધું જ જેણે ખુબ સરળતાથી કરી લીધું એ છે બોલીવુડની રાણી એટલેકે, રાની મુખર્જી. 

ફેશન, મોડેલિંગ અને ફિલ્મોમાં એન્ટ્રી લેવા માટે પરફેક્ટ ફિગર, સારો આવાજ, સારો દેખાવ અને સૌથી વિશેષ સારી હાઈટ હોવી જોઈએ. સ્ત્રીઓ માટે આવી એક ઓવરઓલ ધારણા જે મહદઅંશે સાચી ઠરે છે તે ફિક્સ છે. આ બધાને દરકિનારે કરીને એક બંગાળી છોકરીએ બોલીવુડમાં પોતાના નામની બોલબાલ ઉભી કરી દીધી તે બીજું કોઈ નહીં પણ રાની મુખર્જી છે.

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક રહી છે. શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સુધી તેણે દરેક મોટા અભિનેતા સાથે કામ કર્યું અને પોતાની ઓળખ બનાવી. રાની મુખર્જીએ તેના વ્યાવસાયિક જીવન તેમજ અંગત જીવન માટે ઘણી હેડલાઇન્સ બનાવી. આજે પણ આદિત્ય ચોપરા સાથેની તેની લવ સ્ટોરી લોકોના જીભ પર છે. પરંતુ, ઇન્ડસ્ટ્રી પર રાજ કરનારી રાણી એક સમયે ફિલ્મી દુનિયાથી ખુબ દૂર ભાગતી હતી એ વાત ખુબ ઓછા લોકો જાણતા હશે.

અભિનય અને ફિલ્મો ક્યારેય રાની મુખર્જીની પહેલી પસંદ નહોતી. ભલે રાની ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકવા માંગતી ન હતી, પરંતુ તેના નસીબને કંઈક બીજું જ સ્વીકારવાનું હતું. તે ફિલ્મોમાં આવી અને દર્શકોના દિલો પરરાજ કરવા લાગી. વાસ્તવમાં, રાની પહેલા ફેશન ડિઝાઇનર બનવા માંગતી હતી. પરંતુ, તેના પિતાના કારણે તે ફિલ્મોનો ભાગ બની. રાની મુખર્જીની પ્રથમ હિન્દી ફિલ્મ 'રાજા કી આયેગી બારાત' હતી, પરંતુ તે પહેલા તે અભિનયની શરૂઆત કરી ચૂકી હતી.

રાની મુખર્જીએ બંગાળી ફિલ્મ 'બિયાર ફૂલ'થી અભિનયની શરૂઆત કરી હતી. આ બંગાળી ફિલ્મ રાની મુખર્જીના પિતાએ ડિરેક્ટ કરી હતી. જેમાં અભિનેત્રીએ પ્રોસેનજીત ચેટર્જી સાથે સ્ક્રીન શેર કરી હતી. આ પછી રાની મુખર્જીને 'રાજા કી આયેગી બારાત'માં જોયા બાદ તેને એક પછી એક ફિલ્મોની ઓફર મળવા લાગી. જે પછી તે ગુલામ, કુછ કુછ હોતા હૈ, હેલો બ્રધર, મન, બિચ્છુ, હર દિલ જો પ્યાર કરેગા જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

રાની મુખર્જીનો જન્મ 21 માર્ચ 1949 માં કોલકાતામાં એક બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતા રામ મુખર્જી ડિરેક્ટર રહી ચૂક્યા છે અને માતા ગાયક છે. તેનો ભાઈ રાજા પણ એક ફિલ્મ ડિરેક્ટર છે. અભિનેત્રી કાજોલ તેની સબંધી છે. રાની મુખર્જી હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી છે. 2005 માં તે બોલિવૂડના ટોચના 10 શક્તિશાળી લોકોમાંની એક હતી. રાની એવી એક અભિનેત્રી છે જેમને સતત વર્ષ 2004-2006 સુધી ફિલ્મફેર દ્વારા બોલિવૂડની ટોચની અભિનેત્રી જાહેર કરવામાં આવી હતી.

રાની મુખર્જી બોલિવૂડની ખૂબ જ સુંદર અને સફળ અભિનેત્રી છે. રાની મુખર્જીની પહેલી ફિલ્મ ‘રાજા કી આયેગી બરાત’ 23 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. એક મુલાકાતમાં, રાની મુખર્જી કહ્યું હતું કે જ્યારે આ ફિલ્મ રજૂ કરવામાં આવી ત્યારે તે ખૂબ જ મોટા પારિવારિક સંકટનો સામનો કરી રહી હતી. રાનીએ કહ્યું કે “રાજા કી આયેગી બરાત” મારી સૌથી પ્રિય અને યાદગાર ફિલ્મ છે. જે દિવસે આ ફિલ્મ રિલીઝ થવાની હતી, તે દિવસે તેના સ્વર્ગસ્થ પિતા ફિલ્મ નિર્માતા રામ મુખર્જીની બાયપાસ સર્જરી થવાની હતી. તે સમયે હાર્ટ એટેકને કારણે તેના પિતાને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિમાંથી પાર નીકળીને રાનીએ આજે બોલીવુડમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે.

રાની મુખર્જીને 'મર્દાની' અને 'બ્લેક' જેવી ફિલ્મોમાં તેના દમદાર અભિનય માટે ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવી હતી. તેની કરિયરની વાત કરીએ તો તેને અત્યાર સુધીની ફિલ્મી કરિયરમાં બહુ ઓછો સંઘર્ષ જોવો પડ્યો છે. રાનીની ફિલ્મો પણ હંમેશા બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરતી હતી. અંગત જીવનની વાત કરીએ તો તેણે 2014માં આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા હતા. જે પછી તે ફિલ્મોની સાથે પોતાની અંગત જિંદગીને પણ પૂરો સમય આપી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news