Holiday Home: બોલીવુડના આ સિતારાઓએ અલીબાગમાં બનાવ્યાં વૈભવી બંગલા

રવિ શાસ્ત્રી, રોહિત શર્મા બાદ હવે વિરાટ કોહલીનું ફાર્મહાઉસ અલીબાગમાં છે. રવિ શાસ્ત્રીએ 10 વર્ષ પહેલાં ફાર્મહાઉસ બનાવ્યું હતું.

Holiday Home: બોલીવુડના આ સિતારાઓએ અલીબાગમાં બનાવ્યાં વૈભવી બંગલા

નવી દિલ્હીઃ સલમાન હોય કે શાહરુખ મોટાભાગના બોલીવુડના સિતારાઓ રજાઓ ગાળવા માટે શહેરથી દૂરથી શાંતિવાળુ સ્થળ પસંદ કરે છે. ત્યારે વિરુષ્કા માટે પણ આ ગણેશ મહોત્સવ અનેક ઘણી ખુશખબરી લઈને આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, ગણેશ ચતુર્થીનો તહેવાર વિરાટ કોહલી તથા અનુષ્કા શર્મા માટે ઘણો જ ખાસ રહ્યો છે. અનુષ્કા તથા વિરાટે અલીબાગમાં ફાર્મહાઉસ ખરીદ્યું છે. આ ફાર્મહાઉસ અલીબાગના ઝિરાડ ગામમાં આવેલું છે. ફાર્મહાઉસ આઠ એકરમાં ફેલાયેલું છે. રવિ શાસ્ત્રી, રોહિત શર્મા બાદ હવે વિરાટ કોહલીનું ફાર્મહાઉસ અલીબાગમાં છે. રવિ શાસ્ત્રીએ 10 વર્ષ પહેલાં ફાર્મહાઉસ બનાવ્યું હતું. રોહિત શર્માનું ફાર્મહાઉસ 3 એકરમાં ફેલાયેલું છે અને તે હજી અન્ડર કન્સ્ટ્રક્શન છે. બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન, રણવીર સિંહ-દીપિકા પાદુકોણ, ફેશન ડિઝાઇનર અનીતા શ્રોફ તથા એક્ટર રાહુલ ખન્નાનું ફાર્મહાઉસ પણ અલીબાગમાં આવેલું છે.

વિરાટ કોહલી હાલમાં દુબઈમાં એશિયા કપમાં વ્યસ્ત છે. વિરાટ કોહલીના ભાઈએ પાવર ઑફ એટર્નીની મદદથી આ ડીલ ફાઇનલ કરી હતી. છ મહિના પહેલાં વિરાટ કોહલી તથા અનુષ્કા શર્મા ઝિરાડ આવ્યા હતા અને ફાર્મહાઉસ જોયું હતું. જોકે, ક્રિકેટના બિઝી શિડ્યૂઅલને કારણે વિરાટ કોહલી ડીલ ફાઇનલ કરવા આવી શક્યો નહીં. અલીબાગના એસોસિયેટ સબ રજિસ્ટર અશ્વિની ભગત પાસે ફાર્મહાઉસના ખરીદ-વેચાણના ડોક્યુમેન્ટ્સ રજિસ્ટર્ડ કરાવવામાં આવ્યા છે. વિરાટ-અનુષ્કાએ 3 લાખ 35 હજારની સ્ટૅમ્પ ડ્યૂટી પણ ભરી છે.

અનુષ્કા-વિરાટે ફાર્મહાઉસ 19 કરોડ 24 લાખ 50 હજાર રૂપિયામાં ખરીદ્યું છે. અનુષ્કા-વિરાટે સરકારી ટ્રેઝરીમાં 1 કરોડ 15 લાખ ડિપોઝિટ કરાવ્યા છે. વિરાટના ભાઈ વિકાસ કોહલીએ 30 ઓગસ્ટના રોજ આ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલાં કરવામાં આવ્યું હતું. આ ડીલ જાણીતા રિયલ એસ્ટેટ કંપની સમીરા હેબિટેટ્સે કરાવી છે. વિરાટ કોહલી સ્વ. કિશોર કુમારના મુંબઈ સ્થિત બંગલામાં આ રેસ્ટોરાં શરૂ કરવાનો છે. વિરાટ કોહલીએ જુહૂમાં આવેલા આ બંગલાનો મોટો હિસ્સો ભાડે લીધો છે અને તેમાં હાઇ ગ્રેડ રેસ્ટોરાં બનાવી રહ્યો છે. બંગલામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે અને રેસ્ટોરાં લગભગ તૈયાર થઈ ગઈ છે. માનવામાં આવે છે કે વિરાટ કોહલી આવતા મહિને રેસ્ટોરાં શરૂ કરશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news