બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ તણાવમાં સરી પડી હતી આ અભિનેત્રી, દારૂની પણ લત લાગી હતી

કંગના રનૌતના રિયાલિટી શો લોકઅપમાં પોતાની લાઈફના આ ભાગનો ખુલાસો કરતા અભિનેત્રીએ જણાવ્યું હતું કે મે છેલ્લી વખત કોઈ રિયાલિટી શો બિગ બોસ સીઝન 2 જ કર્યો હતો, ત્યારે મને ત્યાં બિલકુલ નેગેટિવ દેખાડવામાં આવી હતી. ત્યાં મારો જે લવ એંગલ બતાવવામાં આવ્યો તે મારી પર્સનલ લાઈફ માટે સંપૂર્ણ રીતે હાનિકારક સાબિત થયો.

બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ તણાવમાં સરી પડી હતી આ અભિનેત્રી, દારૂની પણ લત લાગી હતી

બિગ બોસની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી બોલીવુડ અભિનેત્રી પાયલ રોહતોગી તો  તમને યાદ જ હશે. બોલીવુડનું જાણીતું નામ છે. પાયલ રોહતોગી આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. પોતાના બેબાક સ્વભાવના કારણે જાણીતી પાયલની કરિયર બિલકુલ એવી નથી જેવી તેણે વિચારી હતી. અનેકવાર ઊંચાઈથી પડી છતાં તેણે પોતાને જાત સંભાળી અને પોતાના ફેન્સ સુધી પહોંચ બનાવવામાં સફળ રહી. પાયલ રોહતોગી આજે ખુશહાલ જીવન જીવી રહી છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તે જીવવા માંગતી નહતી. બિગ બોસ 2ના ઘરમાંથી બહાર આવી તે સમયની આ વાત છે. બર્થડે પર પાયલની લાઈફ અને આ પહેલુ વિશે પણ જાણો...

લવ એંગલે બગાડ્યું
કંગના રનૌતના રિયાલિટી શો લોકઅપમાં પોતાની લાઈફના આ ભાગનો ખુલાસો કરતા પાયલ રોહતોગીએ જણાવ્યું હતું કે મે છેલ્લી વખત કોઈ રિયાલિટી શો બિગ બોસ સીઝન 2 જ કર્યો હતો, ત્યારે મને ત્યાં બિલકુલ નેગેટિવ દેખાડવામાં આવી હતી. ત્યાં મારો જે લવ એંગલ બતાવવામાં આવ્યો તે મારી પર્સનલ લાઈફ માટે સંપૂર્ણ રીતે હાનિકારક સાબિત થયો. જ્યારે હું શોમાંથી બહાર આવી તો મને પબ્લિસિટી અને લોકપ્રિયતા તો ખુબ મળી પરંતુ નિગેટિવ રીતે. 

તણાવભર્યું જીવન
પાયલ રોહતોગીએ પોતાના જીવનના કપરા દૌર અંગે વાત કરતા જણાવ્યું કે બિગ બોસ 2ના ઘરેથી બહાર આવ્યા બાદ હું સંપૂર્ણ રીતે તણાવમાં આવી ગઈ હતી. મને દારૂની લત લાગી ગઈ હતી. હું આખો દિવસ દારૂ પીતી રહેતી હતી. ત્યારે મને ખબર નહતી કે દિવસ છે કે રાત. એટલે સુધી કે મે આત્મહત્યાનું પણ વિચારી લીધુ હતું. 

ત્યારબાદ લાઈફમાં આવ્યો મિસ્ટર પરફેક્ટ
પાયલ રોહતોગીએ જણાવ્યું કે જ્યારે તે પોતાના ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેની સાથે ફક્ત એક જ વ્યક્તિ હતો તે સંગ્રામ છે. અત્રે જણાવવાનું કે સંગ્રામ સિંહ એક જાણીતા ઈન્ડિયન રેસલર અને એક્ટર છે. સંગ્રામ જ એ વ્યક્તિ હતા જેમણે તેને આ કપરા સમયમાંથી બહાર નીકળવામાં મદદ કરી. તેમની સતત થેરેપી અને સારી સંગતથી તે આ કપરા સમયમાંથી બહાર આવી શકી. અહીંથી જ સંગ્રામ સાથે તેની નીકટતા વધી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. કેટલાક વર્ષો સુધી બંનેએ એકબીજાને ડેટ કર્યું અને પછી લગ્ન કરી લીધા. આજે પાયલ અને સંગ્રામ ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news