દીપિકાના સસરાએ બોલી એક લાઈન અને છવાઈ ગયા મીડિયામાં, કહ્યું કે....

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડીને પ્રશંસકોએ 'દીપવીર' નામ આપ્યું છે

દીપિકાના સસરાએ બોલી એક લાઈન અને છવાઈ ગયા મીડિયામાં, કહ્યું કે....

મુંબઈ : રણવીર અને દીપિકાએ ગઈકાલે સાંજે ઈન્સ્ટાગ્રામ પર તેમના ફોટોઝ શેર કર્યા બાદ તેમના લગ્નને લગતી અનેક વાતો સામે આવી છે. બંનેએ 48 કલાક સુધી તેમના ફોટોઝ લીક થવાથી બચાવ્યા હતા.

દીપિકાની સ્ટાઈલિસ્ટ નિતાશા ગૌરવે રણવીર સિંહે લગ્ન પછી દીપિકાને સૌથી પહેલા શબ્દો કયા કહ્યા હતા તે અંગે ખુલાસો કર્યો છે જે વાંચીને તમે પણ હસવુ નહિં રોકી શકો. નિતાશા ગૌરવે લખ્યું, “તમારી સામે રજૂ કરીએ છીએ, મિસ્ટર અને મિસિસ ભવનાની” તેણે લખ્યું કે લગ્ન પછી રણવીરના પિતા સર ભવનાનીના પહેલા શબ્દો હતા, “યે દીવાની તો ભવનાની હો ગઈ!” 

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડીને પ્રશંસકોએ 'દીપવીર' નામ આપ્યું છે. આ યુગલે પોતપોતાના ધર્મ પ્રમાણે બે રીતે લગ્ન કર્યા હતા. બંનેએ એક દિવસ પહેલા 14 નવેમ્બર, બુધવારે કોંકણી રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. 15 નવેમ્બર, ગુરૂવારે ઈટાલીમાં સિંધી રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news