Coronaupdate: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1020 કેસ, 28ના મોત; 837 રિકવર થયા

રાજ્યમાં બે દિવસથી કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 1000ને પાર કરી ગઇ છે. કોરોના કહેરના કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1020 નવા કેસ નોંધાયા છે. જેમાં આજે પણ ફરી સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં આજે 201 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજ રોજ 837 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,76,706 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Coronaupdate: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1020 કેસ, 28ના મોત; 837 રિકવર થયા

ગાંધીનગર: રાજ્યમાં બે દિવસથી કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 1000ને પાર કરી ગઇ છે. કોરોના કહેરના કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1020 નવા કેસ નોંધાયા છે. જેમાં આજે પણ ફરી સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં આજે 201 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજ રોજ 837 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,76,706 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં આજે કોવિડ-19ના કારણે 28 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 12, સુરતમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 3, બોટાદમાં 1, દાહોદમાં 1, જુનગઢમાં 1, જુનાગઢ કોર્પોરેશનમાં 1, મહેસાણામાં 1 અને વડોદરા કોરપોરેશનમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 3,33,496 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 3,31,569 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1,927 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

આજના રાજ્યમાં કુલ 965 નવા કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 201, અમદાવાદ કોર્પોરેશનમાં 181, વડોદરા કોર્પોરેશનમાં 62, સુરતમાં 55, રાજકોટ કોર્પોરેશનમાં 43, ભરૂચમાં 27, દાહોદમાં 27, મહેસાણામાં 24, ભાવનગર કોર્પોરેશનમાં 22, ગીર સોમનાથમાં 21, કચ્છમાં 21, ગાંધીનગરમાં 20, જુનાગઢ કોર્પોરેશનમાં 20, સુરેન્દ્રનગરમાં 20, બનાસકાંઠામાં 19, પાટણમાં 19, મહિસાગરમાં 18, વડોદરામાં 18, અમરેલીમાં 16, ભાવનગરમાં 16, નવસારીમાં 16, અમદાવાદમાં 15, ખેડામાં 14, નર્મદામાં 14, જામનગર કોર્પોરેશનમાં 12, રાજકોટમાં 12, ગાંધીનગર કોર્પોરેશનમાં 11, જુનાગઢમાં 10, બોટાદમાં 9, મોરબીમાં 8, સાબરકાંઠામાં 8, વલસાડમાં 8, આણંદમાં 7, છોટાઉદેપુરમાં 7, પંચમહાલમાં 7, તાપીમાં 5, અરવલ્લીમાં 4 અને જામનગર 3 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત રાજ્યમાં 877 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 120, અમદાવાદ કોર્પોરેશનમાં 195, વડોદરા કોર્પોરેશનમાં 41, સુરતમાં 40, રાજકોટ કોર્પોરેશનમાં 6, ભરૂચમાં 28, મહેસાણામાં 4, ભાવનગર કોર્પોરેશનમાં 96, કચ્છમાં 8, ગાંધીનગરમાં 10, જુનાગઢ કોર્પોરેશનમાં 9, સુરેન્દ્રનગરમાં 5, બનાસકાંઠામાં 3, અમરેલીમાં 14, ભાવનગરમાં 19, નવસારીમાં 10, અમદાવાદમાં 17, ખેડામાં 24, જામનગર કોર્પોરેશનમાં 7, રાજકોટમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 10, જુનાગઢમાં 5, બોટાદમાં 36, મોરબીમાં 5, સાબરકાંઠામાં 7, વલસાડમાં 91, આણંદમાં 8, છોટાઉદેપુરમાં 1, પંચમહાલમાં 7, તાપીમાં 1, અરવલ્લીમાં 1 અને જામનગર 4 દર્દી ઘરે પરત ફર્યા છે.

રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસ 12,016 છે. જેમાં વેન્ટીલેટર પર 78 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ 11,938 દર્દીઓ છે. જ્યારે 37,240 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો કુલ મૃત્યુઆંક 2229 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news