બારડોલી:સગા બાપે નદીમાં ફેંક્યો પુત્ર: અંતિમ યાત્રામાં ગામ હિબકે ચડ્યું

સગા બાપે જ પોતાના પુત્રની હત્યા કરી નાખી, 10 દિવસે ઝાડીઓમાં ફસાયેલો મૃતદેહ મળી આવ્યો હતો

બારડોલી:સગા બાપે નદીમાં ફેંક્યો પુત્ર: અંતિમ યાત્રામાં ગામ હિબકે ચડ્યું

સુરત : બારડોલીના વણેસા ગામે સગા બાપે પોતાના જ દિકરા નીવને મીંઢોળા નદીમાં ફેંકી દીધાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં ફાયરબ્રિગેડને માસૂમ નીવના મૃતદેહને શોધતા 10 દિવસ થયા હતા. બુધવારે મૃતહેદ બાદ સુરત સિવિલમાં ફોરેન્સિક પીએમ થયા બાદ વણેસામાં અંતિમયાત્રા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ યાત્રામાં  વણેસા માસૂમ નીવના મોતથી હિબકે ચડ્યું હતું. 

નીવનું મોત થયું હોવાથી લોકો તેના બાપ નિશિત પર ફીટકાર વરસાવી રહ્યા છે. 10 દિવસ બાદ નીવનો મૃતદેહ મળ્યો છે. નીવનો દેહ મરોલી રેલ્વે બ્રિજથી પાંચ કિલોમીટર દુર આવેલા કનસાડ ગામની સીમમાંથી મળી આવ્યો છે. કનસાડની સીમના ઝાંખરાઓમાં ફસાઇ ગયો હતો. જો કે મૃતદેહ ન મળે ત્યાં સુધી કોઇ જ કાર્યવાહી થઇ શકી નહોતી. જો કે નીશીથે જ પોતાના પુત્ર નીવની હત્યા કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. 

નાનકડા વણેસા ગામમાં નીવના મોતના પગલે મોટી સંખ્યામા લોકો એકત્ર થયા હતા. નીવની અંતિમ વિધિમાં જોડાયા હતા. અગાઉ પણ નીવનો મૃતદેહ ન મળ્યો ત્યાં સુધી વિવિધ રામધુન સહિતના કાર્યક્રમોમાં મહિલાઓએ મોટી સંખ્યામાં હિસ્સો લીધો હતો. નીવી અંતિમ યાત્રામાં મહિલાઓએ હૈયાફાટ રૂદન કર્યું હતું. મહિલાઓએ નિશિથ પર પણ ફિટકાર વરસાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news