Gujarat Politics: ગુજરાતમાં ભાજપને કોંગ્રેસ નહીં આપે 'વોકઓવર', શક્તિસિંહે ચાર્જ સંભાળતાની સાથે જ હાઈકમાન્ડનો મોટો નિર્ણય

Gujarat Congress: ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવા કોંગ્રેસ હાઈકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની દરખાસ્તને લીલી ઝંડી આપી છે, જેમાં પાર્ટીએ રાજ્યમાં જિલ્લા મુખ્યાલયમાં રાજીવ ગાંધી ભવન બનાવવાની માંગણી કરી છે. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Gujarat Politics: ગુજરાતમાં ભાજપને કોંગ્રેસ નહીં આપે 'વોકઓવર', શક્તિસિંહે ચાર્જ સંભાળતાની સાથે જ હાઈકમાન્ડનો મોટો નિર્ણય

ગુજરાતમાં 27 વર્ષથી સત્તાથી દૂર કોંગ્રેસ પાર્ટી હવે ભાજપ સામે મજબૂતીથી લડશે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ નવી દિલ્હી હાઈકમાન્ડની બેઠકમાં પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. ભાજપને ટક્કર આપવા માટે પાર્ટી સંસાધનોના મોરચે પોતાને મજબૂત કરશે. કોંગ્રેસ પાર્ટી રાજ્યના દરેક જિલ્લામાં પાર્ટી કાર્યાલયો સ્થાપશે, જેથી સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ સારી રીતે ગોઠવી શકાય. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) નું કાર્યાલય પાલડી, અમદાવાદ ખાતે આવેલું છે. પાર્ટીનું રાજ્ય કાર્યાલય તેનું પોતાનું છે. અન્ય જિલ્લાઓ અને શહેરોમાં પાર્ટી કાર્યાલયોની હાલત સારી નથી. આવી સ્થિતિમાં ભાજપને ટક્કર આપવા માટે પાર્ટી કમલમની તર્જ પર દરેક જિલ્લામાં રાજીવ ભવનનું નિર્માણ કરશે. ભાજપે લગભગ તમામ જિલ્લાઓમાં પોતાની ઓફિસો બનાવી છે. તેમની પાસે ઘણી સારી સુવિધાઓ છે. ઘણા જિલ્લાઓમાં કમલમ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

સંગઠનને બળ મળશે
દિલ્હીમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં મળેલી બેઠક બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ માહિતી આપી હતી કે બેઠકમાં રાજ્યની મિલકતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોઈ પણ દસ્તાવેજ સુધારણાની કામગીરી કરવી હોય તો કરવાનું નક્કી કરાયું હતું. મળતી માહિતી મુજબ, કોંગ્રેસ પાર્ટી રાજ્યના તમામ 33 જિલ્લા અને શહેરોમાં રાજીવ ભવનનું નિર્માણ કરશે અને રાજીવ ભવનનું નિર્માણ જિલ્લા સ્તરે કરવામાં આવશે. હાલમાં પક્ષ પાસે સારી અને મોટી ઓફિસો ન હોવાને કારણે સંગઠનને લગતી પ્રવૃતિઓ થઈ રહી નથી. જેના કારણે પાર્ટીને અનેક સ્તરે નુકસાન સહન કરવું પડે છે. ક્યારેક પાર્ટીના કાર્યક્રમો માટે પરવાનગી આપવામાં આવતી નથી. પાર્ટીનું પોતાનું કાર્યાલય હોવાથી સંગઠનને લગતી ગતિવિધિઓ ઝડપી બનશે.

લોકસભાની ચૂંટણી પર મંથન થશે
ગુજરાતના નેતાઓ સાથેની આ મહત્વની બેઠક કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને AICC ટ્રેઝરર પવન બંસલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને જીજ્ઞેશ મેવાણી ઉપરાંત શૈલેન્દ્ર પરમાર હાજર રહ્યા હતા. દિલ્હી પહોંચેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓનો રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળવાનો કાર્યક્રમ હતો. જેમાં લોકસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા થવાની આશા છે. જોકે, આ મામલેસ અમદાવાદમાં ગ્યાસુદિન શેખે અલગ તેવર દેખાડ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news