શક્તિપીઠ બહુચરાજી મંદિર માટે લેવાયો મોટો નિર્ણય, મંદિરના શિખરને 56 ફૂટ ઊંચે લઈ જવાશે

ઉત્તર ગુજરાતમાં આવેલ શક્તિપીઠ બહુચરાજી મંદિરના વિકાસ માટે મોટો નિર્ણય લેવાયો છે. શક્તિપીઠ બહુચરાજી ટ્રસ્ટની ડેવલોપમેન્ટ ઓફ બેચરાજી ટેમ્પલ માટેની મીટીંગ મહેસાણા કલેક્ટર ઓફિસ ખાતે મળી હતી. જેમાં મુખ્ય મંદિરના શિખરની ઊંચાઈનો વિવાદ દૂર કરાયો છે. સાથે જ મંદિરને નવેસરથી રિડેવલપ કરી શિખરને 56 ફૂટની ઊંચાઈએ લઈ જવામાં આવશે તેવુ નક્કી કરાયું છે. તેમજ બહુચરાજી શક્તિપીઠના મંદિર પરિસરને ‘બી’ કેટેગરીમાંથી ‘એ’ કેટેગરી એટલે કે અંબાજી અને સોમનાથ મંદિરની કેટેગરીમાં રૂપાંતર કરવામાં આવશે. 
શક્તિપીઠ બહુચરાજી મંદિર માટે લેવાયો મોટો નિર્ણય, મંદિરના શિખરને 56 ફૂટ ઊંચે લઈ જવાશે

મહેસાણા :ઉત્તર ગુજરાતમાં આવેલ શક્તિપીઠ બહુચરાજી મંદિરના વિકાસ માટે મોટો નિર્ણય લેવાયો છે. શક્તિપીઠ બહુચરાજી ટ્રસ્ટની ડેવલોપમેન્ટ ઓફ બેચરાજી ટેમ્પલ માટેની મીટીંગ મહેસાણા કલેક્ટર ઓફિસ ખાતે મળી હતી. જેમાં મુખ્ય મંદિરના શિખરની ઊંચાઈનો વિવાદ દૂર કરાયો છે. સાથે જ મંદિરને નવેસરથી રિડેવલપ કરી શિખરને 56 ફૂટની ઊંચાઈએ લઈ જવામાં આવશે તેવુ નક્કી કરાયું છે. તેમજ બહુચરાજી શક્તિપીઠના મંદિર પરિસરને ‘બી’ કેટેગરીમાંથી ‘એ’ કેટેગરી એટલે કે અંબાજી અને સોમનાથ મંદિરની કેટેગરીમાં રૂપાંતર કરવામાં આવશે. 

શક્તિપીઠ બહુચરાજી ટ્રસ્ટની ડેવલોપમેન્ટ ઓફ બેચરાજી ટેમ્પલ માટેની મીટીંગ મહેસાણા કલેક્ટર ઓફિસ ખાતે મળી હતી. જેમાં મંદિરની ઉંચાઈ વધારવા અંગે અંતિમ નિર્ણય લેવાયો છે. મંદિરને નવેસરથી રિડેવલપ કરી શિખરને 56 ફૂટની ઊંચાઈએ લઈ જવામાં આવશે તેવુ નક્કી કરાયું છે. આ સિવાય અન્ય મહત્વના નિર્ણયો પણ લેવાયા. 

બીજા કયા કયા નિર્ણયો લેવાયા

  • મુખ્ય મંદિર પરિસર ભોજનશાળા યજ્ઞશાળા માનસરોવર તળાવ તથા રેસ્ટ હાઉસ અને પરિસરની આજુબાજુનો તમામ વિસ્તાર અંબાજી મંદિરના ધોરણે ડેવલપ કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. 
  • ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ થશે ટ્રસ્ટ દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. 
  • મંદિર પરિસરમાં એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે તેમજ આદ્યશક્તિ બહુચરાજી માતાજી સવાર અને સાંજની આરતી વેબસાઈટ દ્વારા ઓનલાઈન બતાવવામાં આવશે. જેથી દેશ તથા વિદેશમાં રહેતા મારી ભક્તોને દર્શનનો અને આરતીનો લાભ મળી શકે
  • મા શક્તિની પૂજા અર્ચનાનો નવરાત્રિનો ઉત્સવ ધામધૂમથી રંગે ચંગે માતાજીના પરિસરમાં ઉજવવામાં આવશે
  • વૃદ્ધ અશક્ત અને દિવ્યાંગ ભક્તો માટે વ્હીલચેર અને લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવશે, દર્શનમાં પણ તેમને અગ્રીમતા આપવામાં આવશે
  • મંદિરની નજીક આવેલ બધેલીયા તળાવ નું બ્યુટીફિકેશન કરી ડેવલપ કરવામાં આવશે. તેમજ મંદિરની આસપાસના વિસ્તારમાં પણ સુધારા કરવામાં આવશે
  • મંદિરની ફરતે આવેલ કિલ્લાને દિવાલને નવેસરથી ઓપ આપીને હેરિટેજ લુક આપવામાં આવશે
  • યજ્ઞશાળા તથા મંદિર પરિસરમાં આવેલ નાના મોટા મંદિરોને પણ સુધારા વધારા કરી નવીનીકરણ કરવામાં આવશે
  • પ્રસાદ માટે અલગ અલગ કેટેગરી અને બોક્સની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ માતાજીના મંદિરમાં માતાજીને ચઢાવવામાં આવેલી સાડી દાતા ભાવિક ભક્તોની પ્રસાદી સ્વરૂપે આપવા માટે અલગ પેકેજ કરવામાં આવશે
  • મંદિરના યજ્ઞશાળા તથા નવચંડી કરનાર બ્રાહ્મણોના માનદ વેતન દક્ષિણામાં પણ ઘણો મોટો વધારો કરવામાં આવશે

આ પણ વાંચો : મંગળવારે અમંગળ : લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 3 લોકોને કાળ ભરખી ગયો 

તમામ ટ્રસ્ટીઓએ ઉપરોક્ત નિર્ણયો સર્વાનુંમતે દેવસ્થાનના વિકાસ માટે લીધા હતા, અને સહમતી આપી હતી. જેમાં મંદિરના ટ્રસ્ટી અને ચેરમેન કલેક્ટર મહેસાણા ઉદીપ અગ્રવાલ ટ્રસ્ટી યજ્ઞેશભાઇ દવે ટ્રસ્ટી બલવંતસિંહ રાજપુત જયશ્રીબેન પટેલ અને અન્ય મહાનુભવોની હાજરીમાં બહુચરાજી ટેમ્પલ ડેવલોપમેન્ટ માટે મોટા નિર્ણયો લેવાયા છે. આ બેઠકમાં મહેસાણા ડીએસપી પ્રાંત કડી સહિત અન્ય ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news