રૂપાણીના હસ્તે કઝાખીસ્તાનના કોમ્સ્યુલેટ ઓફીસનું ઉદ્ઘાટન, ગુજરાતમાં કરશે રોકાણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કઝાખીસ્તાનના કોમ્સ્યુલેટ ઓફીસનું ઉદ્ઘાટન  કરવામાં આવ્યું હતું. સેક્ટર 8ના રહેણાંક વિસ્તારોમાં કોન્સ્યુલેટની શરૂઆત કરાવમાં આવી છે.  ગુજરાતમાં પ્રથમ કોન્સ્યુલેટની શરૂઆત થતા  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદનમાં કહ્યું કે, કોન્સ્યુલેટની શરૂઆત થવાથી  કઝાખીસ્તાન અને ભારતના સંબંધો સારા થશે.

રૂપાણીના હસ્તે કઝાખીસ્તાનના કોમ્સ્યુલેટ ઓફીસનું ઉદ્ઘાટન, ગુજરાતમાં કરશે રોકાણ

હિતલ પારેખ/ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કઝાખીસ્તાનના કોમ્સ્યુલેટ ઓફીસનું ઉદ્ઘાટન  કરવામાં આવ્યું હતું. સેક્ટર 8ના રહેણાંક વિસ્તારોમાં કોન્સ્યુલેટની શરૂઆત કરાવમાં આવી છે.  ગુજરાતમાં પ્રથમ કોન્સ્યુલેટની શરૂઆત થતા  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદનમાં કહ્યું કે, કોન્સ્યુલેટની શરૂઆત થવાથી  કઝાખીસ્તાન અને ભારતના સંબંધો સારા થશે.

સીએ વિજય રૂપણીએ કહ્યું કે, વિકસિત દેશ તરીકે ભારત દુનિયામાં આગળ વધી રહ્યું છે. કઝાકિસ્તાનની પીએમ મોદીએ પણ મુલાકાક કરી હતી. યુરેનિયમમાં કઝાખીસ્તાનનો ભારતને સારો એવો સહકાર મળી રહ્યો છે. ગુજરાતના પોર્ટ પરથી કઝાખીસ્તાન સુધી પોર્ટ કનેક્ટિવિટીના પ્રયાસો કરવામાં આવશે. સાથે જ ગુજરાતમાં પણ આઇટી ક્ષેત્રે પણ જોડાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,  વાઇબ્રન્ટ ગુજરાતમાં કઝાખીસ્તાનનું ડેલીગેશન આવશે.

Gandhinagar

કોન્સ્યુલેટની ઓફીસથી ભારતના સંબંધોની સાથે ગુજરાતને પણ ફાયદો થશે.ગાંધીનગર સ્થિત કોન્ગ્યુલેટના કોન્સ્યુલર તરીકે દિલીપ ચંદનની નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યારે ભારતમાં કઝાકિસ્તાનના એમ્બેસેડર બુલાત સરસેનબેવનું નિવેદન આપ્યું હતું, કે ગુજરાતમાં પણ કઝાખીસ્તાનનું રોકાણ કરશે. સ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં પણ એક હિલિયન કરોડ ડોલરનું રોકાણ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news