મોટી દુર્ઘટના! સુરતમાં પૂર્વ કોર્પોરેટર નલીનચંદ્ર કડીવાલાના માથે સ્લેબ પડતા કરૂણ મોત

સુરત શહેરનાં ઘોડદોડ રોડ પર આવેલ રત્નકુંજ એપાર્ટમેન્ટ રહેતા 69 વર્ષીય નલીનચંદ્ર બળવંતરાય કડીવાલા ભાજપના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા હતા. નલીનચંદ્ર ઘરમાં સોફા પર બેસેલા હતા. ત્યારે અચાનક છતના પોપડા તેમના માથા પર પડતા ગંભીર ઇજા થઈ હતી. 

મોટી દુર્ઘટના! સુરતમાં પૂર્વ કોર્પોરેટર નલીનચંદ્ર કડીવાલાના માથે સ્લેબ પડતા કરૂણ મોત

પ્રશાંત ઢીવરે/સુરત: પૂર્વ નલીનચંદ્ર કડીવાલાનું ઘરે માથે પોપડા પડતા મોત નિપજ્યું હતું. પૂર્વ કોર્પોરેટર ઘરમાં બેઠા હતા, ત્યારે અચાનક છતના ભાગનો પોપડો માથા પર પડતા ગંભીર ઇજા પહોંચી હતી. જેમનું સારવાર દરમિયાન મોત હતું. 

સુરત શહેરનાં ઘોડદોડ રોડ પર આવેલ રત્નકુંજ એપાર્ટમેન્ટ રહેતા 69 વર્ષીય નલીનચંદ્ર બળવંતરાય કડીવાલા ભાજપના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા હતા. નલીનચંદ્ર ઘરમાં સોફા પર બેસેલા હતા. ત્યારે અચાનક છતના પોપડા તેમના માથા પર પડતા ગંભીર ઇજા થઈ હતી. 

પરિવારજનો તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. સુરત મહાનગર પાલિકામાં વર્ષ 1995માં જ્યારે ભાજપની પહેલી વખત બોર્ડ બની તેમાં નલીનચંદ્ર સભ્ય હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news