કોંગ્રેસ યુક્ત ભાજપ: કમળવાળા ફિલ્ડિંગ ભરતા રહી ગયા, ભાજપમાં સદી ફટકારશે પંજાવાળા!

ગુજરાતની રાજનીતિનો બદલાતો રંગ: કેસરી ખેસવાળા ઘણાં ખોવાઈ ગયા અને પંજાવાળા ભાજપ સરકારમાં મંત્રી બની ગયા! કોંગ્રેસમુક્તને બદલે કોંગ્રેસ યુક્ત ભાજપ: સરકારમાં પણ 3 કેબિનેટમંત્રીઓનું કૂળ કોંગ્રેસ. 

કોંગ્રેસ યુક્ત ભાજપ: કમળવાળા ફિલ્ડિંગ ભરતા રહી ગયા, ભાજપમાં સદી ફટકારશે પંજાવાળા!

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં ઓપરેશન લોટસ ફરી શરૂ થઈ ગયું છે. રાજ્યસભાની હોય કે લોકસભાની ચૂંટણી ભાજપને પોતાના નેતાઓ પર ભરોસો ના હોય તેમ વિરોધપક્ષમાંથી નેતાઓને તોડીને ભાજપમાં સામેલ કરવાની પરંપરા 2002થી ચાલુ થઈ છે અને અત્યારથી આ નેતાઓ સદી ફટકારવાની નજીકમાં છે. હવે ગુજરાત ભાજપમાં એ સ્થિતિ છે કે મૂળ ભાજપી કે જનસંધી છે કે કોંગ્રેસી કૂળના એ ભેદભાવ હવે નજીવો રહ્યો છે કારણ કે ભાજપ 2 દાયકાથી ઓપરેશન લોટસના નામે કોંગ્રેસના કદાવર નેતાઓને ખેંચી લાવે છે. ગુજરાત ભાજપે ક્યારેય કોંગ્રેસને મજબૂત થવા જ દીધી નથી. ભાજપે શામ દામ દંડ અને ભેદ અપનાવીને કોંગ્રેસના મૂળિયા કાપ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત ભાજપ કોંગ્રેસ યુક્ત બની ગઈ છે. રાજયની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પણ 9 કેબિનેટ મંત્રીઓમાં 3 કેબિનેટ મંત્રીઓના કૂળ કોંગ્રેસ છે. 

ગુજરાતમાં 156 સીટો પર વિજેતા બની બહુમતી સાથે સરકાર બનાવનાર ભાજપને શું પોતાના નેતાઓ અને સંગઠન પર ભરોસો નથી એ દર વખતે ગુજરાતમાં સૌથી ઓપરેશન લોટસ ચલાવી રહી છે. આજે પણ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. આ જ સપ્તાહમાં વિસાવદરના ભૂપત ભાયાણીએ પણ રાજીનામું આપ્યું છે. ભાજપ લોકસભામાં કોઈ પણ સંજોગોમાં 26માંથી 26 બેઠકો જીતવા માટે છે. દિલ્હી હાઈકમાન્ડનો રિપોર્ટ છે કે લોકસભાની 5 સીટોમાં ભાજપનો દેખાવ નબળો છે. હવે ફરી આ સીટોને મજબૂત કરવા અને મજબૂત ઉમેદવારોને તોડી પાડવા માટે ઓપરેશન લોટસ શરૂ થયું છે. ગુજરાતમાં લોકસભામાં 26માંથી 26 સીટો જીતવાના દાવા કરતી ભાજપમાં સ્થિતિ એવી છે કે કોંગ્રેસના નેતાઓ હવે સદીને પાર કરશે. 

રાજ્યમાં 2002થી અત્યાર સુધીમાં 80 જેટલાં મોટા કોગ્રેસના નેતાઓએ ભાજપમાં કેસરિયા ધારણ કર્યા છે. ધારાસભ્યો, સાંસદ અને કોંગ્રેસના સગઠનનાં (Gujarat BJP) હોદ્દેદારો પણ ભાજપમાં (Gujarat Congress) સામેલ થયા છે. વર્ષ 2017 થી 2022 આવતા આવતા કોંગ્રેસે 20 ધારાસભ્ય ગુમાવ્યા છે. 2022ની ગુજરાત વિધાનસભા ચુંટણીમાં (Gujarat Assembly Elections 2022)ભારતીય જનતા પાર્ટીએ 2017 પછી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા 20 માથી 12 ધારાસભ્યોને ટિકિટ આપી છે. જેમાંથી 9નો વિજય અને 3ની કારમી હાર થઇ છે.

કોંગ્રેસનાં સગઠનમાં 37 વર્ષ સેવા પ્રદાન કરનાર જયરાજસિંહે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી તેઓ ભાજપમાં જોડાયા હતા. જે હવે ફક્ત ભાજના ગુણગાન ગાઈ રહ્યાં છે. એમના મહેસાણા વિધાનસભાની બેઠક પર ધારાસભ્ય બનવાના સપનાં હતા જે ભાજપે હજુ પૂરા કર્યા નથી. કોંગ્રેસમાં વારંવાર ટીવીમાં ચમકતા જયરાજસિંહ હાલમાં સામાજિક સંગઠનોમાં આંટાપેરા કરી રહ્યાં છે. આ સિવાય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ MLA અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા હતા. જેઓની સ્થિતિ સૌ કોઈ હવે સારી રીતે જાણે છે.  કોંગ્રેસના વધુ બે નેતાઓ કે જેમાં હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટે પણ C.R પાટીલના હસ્તે કેસરિયા ધારણ કરી લીધો હતો. હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ મળી છે. હાર્દિક હાલમાં ચૂપચાપ વિરમગામ જીતીને વિધાનસભા મતક્ષેત્ર સંભાળી રહ્યો છે જ્યારે લીલીપેનથી સહી કરવાના સપનાં જોતાં અલ્પેશ ઠાકોર પણ ગાંધીનગરથી વિજેતા તો બન્યા છે પણ મંત્રીમંડળમાં સ્થાન પામી શક્યા નથી. આ લિસ્ટ તો ઘણું મોટું છે પણ સૌથી સારો ફાયદો એ કોંગ્રીસ કૂળના 3 નેતાઓને થયો છે. જેમાં બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા અને રાઘવજી પટેલને થયો છે. જેઓ હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી છે. 

ગુજરાત કોંગ્રેસમાંથી કદાવર નેતાઓને તોડી પાડવાનો ભાજપનો 2 દાયકાથી શિરસ્તો રહ્યો છે. જેમાંથી કેટલાક નેતાઓના તો સૂરજ અસ્ત થઈ ગયા છે. આજે તેઓ ભરપેટ પસ્તાય પણ છે. એકવાર હાર્યા બાદ આજે તેઓ પોતાનું અસ્તિત્વ શોધી રહ્યાં છે કારણ કે કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં જોડાયા તો હાર્યા બાદ ન ઘરના ના ઘાટના થઈને રહી ગયા છે. ભાજપના આ ઓપરેશન લોટસથી મૂળ ભાજપીઓમાં પણ ઘણીવાર અસંતોષનું કારણ બન્યું છે. પાયાના કાર્યકરો વર્ષો સુધી મહેનત કરીને સીટ તૈયાર કરે છે અને એ બેઠક પર એક કોંગ્રેસી નેતા આવીને બેસી જાય છે. આજે પણ ખંભાતના ધારાસભ્ય ચીરાગ પટેલે કોંગ્રેસને બાય બાય કરી દીધું છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે શરૂ કરેલા ઓપરેશન લોટસમાં હજુ પણ કેટલીક વિકેટો પડે તેવી પૂરી સંભાવના છે. 

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ:

૧. કુંવરજી બાવળિયા

૨. ડો. આશા પટેલ

૩. જવાહર ચાવડા

૪. વિઠ્ઠલ રાદડિયા

૫. જ્યેશ રાદડિયા

૬. નરહરિ અમીન

૭. રાધવજી પટેલ

૮. ધર્મેન્દ્રસિંહ જાડેજા

૯. બાવકુ ઉંઘાડ

૧૦. સી. પી સોજીત્રા

૧૧. જશાભાઇ બારડ

૧૨. તેજશ્રી પટેલ

૧૩. રામસિંહ પરમાર

૧૪. અમિત ચૌધરી

૧૫. માનસિંહ ચૌહાણ

૧૬. સીકે રાઉલજી

૧૭. ભોળાભાઇ ગોહિલ

૧૮. કરમશી પટેલ

૧૯. મહેન્દ્રસિંહ વાઘેલા

૨૦. બલવંતસિંહ રાજપૂત

૨૧. પ્રહલાદ પટેલ

૨૨. છનાભાઇ ચૌધરી

૨૩. શ્યામજી ચૌહાણ

૨૪. ગિરીશ પરમાર

૨૫. જ્યંતિલાલ પરમાર

૨૬. સુંદરસિંહ ચૌહાણ

૨૭. નિમાબહેન આચાર્ય

૨૮. છબીલ પટેલ

૨૯. રાજેન્દ્ર ચાવડા

૩૦. પ્રભુ વસાવા

૩૧. પરેશ વસાવા

૩૨. કુંવરજી હળપતિ

૩૩. દલસુખ પ્રજાપતિ

૩૪. પરસોત્તમ સાબરિયા

૩૫. વલ્લભ ધોરાજીયા

૩૬. જીવાભાઇ પટેલ

૩૭. મનીષ ગિલીટવાલા

૨૮. શંકર વારલી

૩૯. લીલાધર વાઘેલા

૪૦. દેવજી ફતેપરા

૪૧. કુંવરજી હળપતિ

૪૨. પરબત પટેલ

૪૩. તુષાર મહારાઉલ

૪૪. ઉદેસિંહ બારિયા

૪૫. ભાવસિંહ ઝાલા

૪૬. લાલસિંહ વડોદિયા

૪૭. મગન વાઘેલા

૪૮. ઇશ્વર મકવાણા

૪૯. સુભાષ શેલત

૫૦. ઉર્વશીદેવી

૫૧. મનસુખ વસાવા

૫૨. કરસનદાસ સોનેરી

૫૩. ભાવસિંહ રાઠોડ

૫૪. અનિલ પટેલ

૫૫. નટવરસિંહ પરમાર

૫૬. જયદ્રથસિંહ પરમાર

૫૭. પીઆઇ પટેલ

58. મંગળ ગાવિત 
    
59 . જે.વી. કાકડીયા
    
60. પ્રવિણ મારુ
    
61. સોમા ગાંડા પટેલ
    
62. પ્રદ્યુમનસિંહ જાડેજા
    
63. અક્ષય પટેલ
    
64. જીતુ ચૌધરી
    
65. બ્રિજેશ મેરજા

66 . જે.વી. કાકડીયા

67.  જીતુ ચૌધરી
    
68. અક્ષય પટેલ

69. અલ્પેશ ઠાકોર

70. ચીરાગ પટેલ
 
71. અશ્વિન કોટવાળ

72. ભગવાન બારડ

73. દેવુસિંહ ચૌહાણ

74. હાર્દિક પટેલ

75. કમશી પટેલ

76. હીરા પટેલ

77. સાગર રાયકા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news