બીજા સમાજને પણ અનામતનો હક મળવો જોઈએઃ કેન્દ્રીય પ્રધાન હરિભાઇ ચૌધરી

ચૌધરી સમાજના સંમેલનમાં કેન્દ્રીય પ્રધાને આ વાત કરી હતી.
 

 બીજા સમાજને પણ અનામતનો હક મળવો જોઈએઃ કેન્દ્રીય પ્રધાન હરિભાઇ ચૌધરી

મહેસાણાઃ કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીએ અનામતને લઈને મોટું નિવેદન આપ્યું છે. હરિભાઈ ચૌધરીને પુછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે મારા છોકરા શા માટે અનામત માગે ?. હરિભાઈ ચૌધરીએ અનામતને લઈને જણાવ્યું કે અનામતનો હક બીજા સમાજને પણ મળવો જોઈએ. મહેસાણામાં યોજાયેલા ચૌધરી સમાજના સંમેલનમાં હરિભાઈ ચૌધરીએ અનામત મુદ્દે કહ્યું કે જે લોકોએ એક વખત અનામતનો લાભ લીધો હોય ત્યારે બીજા સમાજને પણ અનામત આપવી જોઈએ. બીજા સમાજને પણ અનામતનો લાભ મળે તેવું હરિભાઈએ જણાવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news