આ મંદિર 17 વખત લૂંટાયું એટલીવાર ફરી બન્યું ભવ્યાતિભવ્ય, ગણાય છે ગુજરાતનું કરોડપતિ મંદિર

Gujarat Tourism: મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

આ મંદિર 17 વખત લૂંટાયું એટલીવાર ફરી બન્યું ભવ્યાતિભવ્ય, ગણાય છે ગુજરાતનું કરોડપતિ મંદિર

Gujarat Tourism: ઇતિહાસકારો અનુસાર સોમનાથ મંદિર 17 વખત લૂંટાયું અને દરેક વખતે ફરીથી બનાવવામાં આવ્યું છે. પ્રાચીન ભારતીય ઇતિહાસ અને આધુનિક ભારતીય ઇતિહાસમાં કહેવાયું છે કે સોમનાથ મંદિરને મહમૂદ ગઝનવી દ્વારા વર્ષ 1024 માં નષ્ટ કરવામાં આવ્યું હતું. મૂર્તિ તોડવાથી લઈને અહીં હાજર તમામ સોના-ચાંદીના દાગીનાની લૂંટ થઈ હતી. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટ્રસ્ટના મુખ્ય અધ્યક્ષ છે. આ ટ્રસ્ટ ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરનું સંચાલન સંભાળે છે. પીએમ મોદી આ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત થનારા બીજા વડાપ્રધાન છે. આ પહેલા મોરારજી દેસાઈ એવા પ્રથમ વડાપ્રધાન હતા જેઓ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. 

શું તમે આ મંદિરના ઈતિહાસ વિશે જાણો છો? 
ઈતિહાસકારો કહે છે કે સોમનાથ મંદિર 17 વખત નષ્ટ થયું છે અને દરેક વખતે તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ પણ સ્વતંત્ર ભારતની મુખ્ય યોજનાઓમાં એક છે. હાલના મંદિરનું 1951માં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સ્વતંત્રતા પછી પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું અને તે 1લી ડિસેમ્બર 1995ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે જૂનાગઢના રજવાડાને ભારતનો હિસ્સો બનાવ્યા બાદ ભારતના તત્કાલિન ગૃહમંત્રી સરદાર પટેલે જુલાઈ 1947માં સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો આદેશ આપ્યો હતો.

ગાંધીજીના કહેવાથી જનતા પાસેથી નાણાં એકત્ર કરવામાં આવ્યા.
સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો પ્રસ્તાવ લઈને સરદાર પટેલ મહાત્મા ગાંધી પાસે ગયા હતા. ગાંધીજીએ આ દરખાસ્તની પ્રશંસા કરી અને જનતા પાસેથી નાણાં એકત્ર કરવાનું સૂચન કર્યું. સરદાર પટેલના અવસાન બાદ મંદિરના પુનઃનિર્માણનું કામ કે. એમ. મુનશીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું હતું. મુનશી તે સમયે ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી હતા. સોમનાથ મંદિરના પુનઃનિર્માણને સ્વતંત્ર ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને આદરણીય પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. સોમપુરા પરિવાર દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જે પરંપરાગત ભારતીય નાગર શૈલીમાં મંદિરોની રચના કરવામાં વિશેષતા ધરાવતા હતા.

પ્રભાશંકર સોમપુરા સોમનાથ મંદિરના આર્કિટેક્ટ હતા.
સોમનાથ મંદિરના આર્કિટેક્ટ પદ્મશ્રી પ્રભાશંકર સોમપુરા હતા. અયોધ્યા રામ મંદિરનું મોડેલ પણ તેમના પૌત્ર ચંદ્રકાંત ભાઈ સોમપુરા દ્વારા બનાવવામાં આવ્યું છે. વર્તમાન સોમનાથ મંદિર ગુજરાતની ચાલુક્ય સ્થાપત્ય શૈલીમાં 1951માં બાંધવામાં આવ્યું હતું. વાસ્તવમાં, ચાલુક્ય સ્થાપત્ય શૈલી એ ઉત્તર ભારતના મંદિર નિર્માણની નાગરા શૈલીનો એક પ્રકાર છે. 

શિવના બાર જ્યોતિર્લિંગોમાં આ પ્રથમ
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના વેરાવળ બંદરમાં આવેલું સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ગણવામાં આવે છે. આ મંદિરની ભવ્યતા એવી છે કે અહીં દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ સાથે વિવિધ ધર્મના વિદેશી પ્રવાસીઓ આવે છે. આ કારણોસર મંદિરમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવાનો મુદ્દો પણ વિવાદનું કારણ બની રહ્યો છે. આ ક્રમમાં આજે આપણે ભવ્ય સોમનાથ મંદિરના ઈતિહાસ વિશે વાત કરી રહ્યા છીએ.

સોમનાથ શિવ મંદિરનો ઈતિહાસ
સોમનાથ ખાતેનું બીજું શિવ મંદિર વલ્લભીના યાદવ રાજાઓએ 649 એડીમાં બંધાવ્યું હતું. જેને સિંધના ગવર્નર અલ જુનૈદ દ્વારા 725 ઈ.સ.માં નષ્ટ કરવામાં આવ્યું હતું. પાછળથી, ગુર્જરા પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ II દ્વારા 815 એડીમાં ત્રીજી વખત શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર લાલ સેંડસ્ટોનનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. નાગભટ્ટની સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિરની મુલાકાતના ઐતિહાસિક પુરાવા પણ છે. અગિયારમી સદીમાં આ વિનાશ પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે ૧૦,૦૦૦ ગામડાં અર્પણ કર્યા હતા. આ પવિત્ર સ્થળમાં ૨૦૦ મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી.

બાદમાં ચાલુક્ય રાજા મુલરાજાએ 997માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. 1024 એડીમાં, સોમનાથ મંદિરને તુર્કીના શાસક મહમૂદ ગઝનવી દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. મહમૂદે મંદિરમાંથી લગભગ 20 મિલિયન દીનાર લૂંટી લીધા અને જ્યોતિર્લિંગ તોડ્યું. આ સાથે મંદિરની રક્ષા કરતી વખતે લગભગ 50,000 લોકોની હત્યા કરવામાં આવી હતી. મહેમુદના હુમલા પછી આ મંદિરને રાજા કુમારપાલ દ્વારા 1169 એડીમાં ઉત્તમ પથ્થરોથી ફરીથી બનાવવામાં આવ્યું હતું. જેને અલાઉદ્દીન ખિલજીએ 1299 ઈ.સ.માં ગુજરાતના વિજય દરમિયાન નષ્ટ કરી નાખ્યું હતું. આ મંદિરનું પુનઃનિર્માણ સૌરાષ્ટ્રના રાજા મહિપાલ દ્વારા 1308માં કરવામાં આવ્યું હતું. 1395માં આ મંદિર ફરી એકવાર ગુજરાતના રાજ્યપાલ ઝફર ખાને નષ્ટ કર્યું હતું. ઉપરાંત, ગુજરાતના શાસક મહેમૂદ બેગડા દ્વારા પણ તેને અપવિત્ર કરવામાં આવ્યું હતું.

સોમનાથ મંદિરનું છેલ્લે 1665 એડીમાં પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. મુઘલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા તેને એવી રીતે નષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે તેને ફરીથી બનાવી શકાયું નહીં. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને ૧૭૮૭ માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો હતો. ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનું "સોમનાથ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી. આજે પણ હજારો લોકો ભગવાન ભોળાનાથના દર્શન કરવા ઉમટે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news