ગાંધીધામ નજીક જીપ પલટી જતાં એક જ પરિવારનાં ચારનાં મોત થતાં અરેરાટી

અસ્થિ વિસર્જન કરીને પરત ફરતા સમયે માખેલ પલાસવા રોડ ખાતે અચાનક જ જીપ પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો

ગાંધીધામ નજીક જીપ પલટી જતાં એક જ પરિવારનાં ચારનાં મોત થતાં અરેરાટી

ગાંધીધામઃ ગાંધીધામ નજીક એક જીપ પલટી જતાં એક જ પરિવારના ચારનાં મોત થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માતમાં બે મહિલનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે એક યુવકનું મહેસાણામાં અને એકનું રાધનપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. 

અસ્થિ વિસર્જન કરી પરત જઈ રહેલા પરિવારની જીપ માખેલ પલાસવા રોડ પર એકાએક પલટી મારી ગઈ હતી. જીપના એક ટાયરમાં પંક્ચર પડતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હોવાનું અનુમાન છે. આ અકસ્માતમાં અમરીતબેન નવીનભાઈ પ્રજાપતિ (ઉ.વ.40), દલીબેન નાનજીભાઈ પ્રજાપતિ (ઉ.વ.50)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ઘાયલ થયેલા રાજેશ ભીખાભાઈ પ્રજાપતિએ રાધનપુરની હોસ્પિટલમાં અને બાબુ ભીખાભાઈ પ્રજાપતિએ મહેસાણાની હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. રાજેશ અને બાબુ બંને સગા ભાઈ હતા. 

આ અકસ્માતમાં અન્ય 6 લોકો પણ ઘાયલ થયા હતા, જેમને સામાન્ય ઈજા પહોંચી હતી. એક જ પરિવારના સભ્યોનાં મોત થઈ જતાં પ્રજાપતિ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 

અકસ્માતને કારણે ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતી સર્જાઈ હતી. આડેસરા પોલીસે ત્યા પહોંચીને ટ્રાફિકને હટાવવાની કામગીરી કરી હતી. ત્યારે બે મહિલાઓના મૃતદેહને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news