આ કારણે આનંદીબેનનું વર્ચસ્વ ઘટ્યું : કદ એટલા કપાયા

મુખ્યમંત્રી પદ પરથી રાજીનામાં માટે પણ હાર્દિકને કારણભુત માનવામાં આવે છે

આ કારણે આનંદીબેનનું વર્ચસ્વ ઘટ્યું : કદ એટલા કપાયા

અમદાવાદ : ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ભાજપના પાયાના કાર્યકર આનંદીબેન પટેલનો આજે 76 મો જન્મદિવસ છે. તેમના પ્રશંસકો અને તેમના ચાહકો આજ સવારથી તેમને ટેલિફોનીક તથા રૂબરૂ તેમનાં નિવાસ સ્થાને પહોંચીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ વિવિધ પક્ષો દ્વારા પોતાનો ઉમેદવારોની જાહેરાતો અને પક્ષનો પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સૌ પ્રથમ ભાજપે 70 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી ત્યારબાદ 36 અને આજે 28 ઉમેદવારો જાહેર કર્યા હતા આ સાથે ગત મોડી રાતે કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવોરોની પ્રથમ યાદી જાહેર  કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચુંટણી આ વખતે વધુ રસાકસી ભરી બનવાની છે ત્યારે ભાજપના પીઢ નેતા અને ગુજરાતના ભુતપુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નજીક ગણાતા વસુ બહેન ત્રિવેદીને આ વખતે ભાજપે ટિકીટ આપી નહોતી.

આ વખતે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉમેદવારોને લઇ કેટલાય જુના અને પીઢ નેતાઓનું પત્તુ કપાતા ભાજપ અગ્રણીઓ અને તેમના સમર્થકોમાં ખાસ રોષની લાગણી ફેલાઇ હતી અને જે પૈકી કેટલાક નેતાઓ અને અગ્રણીઓએ તો રાજીનામા આપવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news