જીવનની એકલતાથી કંટાળેલા ઘરભંગ થયેલા વૃદ્ધોએ ફરી માંડ્યો સંસાર, રિસેપ્શનનું આયોજન

અંકલેશ્વરનો 68 વર્ષનો દુલ્હો અને મુંબઈની 65 વર્ષની દુલ્હન લગ્નગ્રંથિથી જોડાયા છે. આ નવદંપતીના મનમેળ માટે સુરત સાક્ષી બન્યું હતું અને એટલે જ આ દંપતીએ રવિવારે સુરતના ફાર્મ હાઉસમાં સત્કાર સમારોહ કહો કે મીની રિસેપ્શન રંગારંગ સમારોહનું આયોજન કર્યું હતું. અંકલેશ્વરમાં રહેતા અગાઉ લાકડા રંગના વેપાર સાથે સંકળાયેલા હાલમાં નિવૃત્ત જીવન ગાળી રહેલા હરીશ પટેલ અને મુંબઈના ૬૫ વર્ષીય જૂથના બેન જૈન હાલમાં જ 16મી ડીસેંબરે  રોજ અમદાવાદમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા.
જીવનની એકલતાથી કંટાળેલા ઘરભંગ થયેલા વૃદ્ધોએ ફરી માંડ્યો સંસાર, રિસેપ્શનનું આયોજન

ચેતન પટેલ/ સુરત : અંકલેશ્વરનો 68 વર્ષનો દુલ્હો અને મુંબઈની 65 વર્ષની દુલ્હન લગ્નગ્રંથિથી જોડાયા છે. આ નવદંપતીના મનમેળ માટે સુરત સાક્ષી બન્યું હતું અને એટલે જ આ દંપતીએ રવિવારે સુરતના ફાર્મ હાઉસમાં સત્કાર સમારોહ કહો કે મીની રિસેપ્શન રંગારંગ સમારોહનું આયોજન કર્યું હતું. અંકલેશ્વરમાં રહેતા અગાઉ લાકડા રંગના વેપાર સાથે સંકળાયેલા હાલમાં નિવૃત્ત જીવન ગાળી રહેલા હરીશ પટેલ અને મુંબઈના ૬૫ વર્ષીય જૂથના બેન જૈન હાલમાં જ 16મી ડીસેંબરે  રોજ અમદાવાદમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા.

હરીશભાઇ પટેલના પત્નીનું હાલમાં જ મે માસમાં કોરોના કાળ દરમિયાન અવસાન થયું હતું. ત્યારબાદ તેઓ એકલા વાયા જીવનથી કંટાળી ગયા હતા. સામે પક્ષે જોસના બેનને ત્રણ સંતાન છે તેમના પતિનું આશરે 10 વર્ષ પહેલા કેન્સરની બીમારીને પગલે નિધન થયું હતું. તેમના બે દિકરા અને દુબઈમાં સ્થાયી થયા છે. જ્યારે મોટી દીકરી મુંબઈમાં છે. જોકે જૂથના બેન એકલા રહેતા હોય હાલમાં કોરોના દરમિયાન એકલવાયા જીવનનો અહેસાસ કરી ચિંતાતુર થઇ ગયા હતા. હરીશભાઇ અને જૂથના બેને પોતાની સ્થિતિને જોતા જીવનસાથી રૂપે યોગ્ય પાત્રની પસંદગી માટે તૈયાર થયા હતા. ત્યારબાદ તેઓ વડીલોના લગ્ન માટે સક્રિય એવી સામાજીક સંસ્થાના સંપર્કમાં આવ્યા હતા.

ગત ૪ નવેમ્બરના રોજ સુરતમાં ઉમિયા ધામમાં તેઓની પહેલી મીટીંગ યોજી હતી. પહેલી બેઠકમાં જ બંને વચ્ચે મનમેળ થયા બાદ ગત રવિવારે અમદાવાદમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા. એટલું જ નહીં જોસના બેનને લગ્ન બાદ અંકલેશ્વરમાં સ્થાયી થવાનું મુશ્કેલ હોવાની વાત કરતા હરીશભાઈએ વડોદરામાં ફ્લેટ લઈને ત્યાં જ રહેવાની તૈયારી પણ દર્શાવી દીધી છે. આ યુગલનો મનમેળ સુરતમાં થયો હોય રવિવારે સુરતમાં જ ડભોલી ગામના ફાર્મ હાઉસમાં તેઓએ સત્કાર સમારોહ એટલે કે મીની રિસેપ્શનનું આયોજન કર્યું હતું. રવિવારે લગ્ન બાદ હરીશભાઇ અને જોસનાબેનએ હનીમૂનના ભાગરૂપે સાત દિવસનો પ્રવાસ કરવાનું પસંદ કર્યું હતું. જેમાં ત્રણ દિવસ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ હાઉસમાં, બે દિવસ પોઈયા અને પછી બે દિવસ સાપુતારામાં રહ્યા હતા. એટલું જ નહીં હરીશભાઈ એ તો લગ્ન પછી આખી દુનિયા ફરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં દેશ વિદેશ નો પ્રવાસ થઈ શકે એ માટે પણ તૈયારી દર્શાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news