કાળજુ કંપાવતા અકસ્માતમાં ત્રણ મિત્રોનું મોત, ત્રણ પરિવારોમાં માતમ છવાયો

સાબરકાંઠાના એક ગમખ્વાર અકસ્માતમાં એક જ ગામમાં રહેતા ત્રણ મિત્રોનું મોત નિપજ્યું છે. બે મિત્રો અમદાવાદથી આવતા એક મિત્રને લેવા આવ્યા હતા, ત્યારે પરત ફરતા સમયે તેમની બાઈક ઝાડ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ત્રણેયનું મોત નિપજ્યું હતું. 

કાળજુ કંપાવતા અકસ્માતમાં ત્રણ મિત્રોનું મોત, ત્રણ પરિવારોમાં માતમ છવાયો

Sabarkanatha Accident News : સાબરકાંઠાના એક ગમખ્વાર અકસ્માતમાં એક જ ગામમાં રહેતા ત્રણ મિત્રોનું મોત નિપજ્યું છે. બે મિત્રો અમદાવાદથી આવતા એક મિત્રને લેવા આવ્યા હતા, ત્યારે પરત ફરતા સમયે તેમની બાઈક ઝાડ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ત્રણેયનું મોત નિપજ્યું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠાના વિજયનગરના ભાખરા-વજેપુર રોડ ઉપર અકસ્માતમાં ત્રણ યુવાનના મોત નિપજ્યા છે. ગત રાત્રિના સમયે બાઈક રોડ સાઇડના ઝાડને અથડાતા અકસ્માત સર્જાયો હતો. વીરપુર મતાલી ગામના બે યુવાનો બાઈક પર મિત્રને લેવા જતા હતા. અમદાવાદથી આવતા મિત્રને લઈને પરત આવતા સમયે અકસ્માત થયો હતો. 

હકીકતમાં ગામ પરત ફરતા યુવકોની બાઈક એટલી પૂરપાટ ઝડપે હતી કે, બાઈક સીધુ ઝાડ સાથે અથડાયુ હતું. ત્રણેય યુવકોના ઘટના સ્થળ પર જ જીવ ગયા હતા. 

આ અકસ્માતમાં મોતને ભેટનાર ત્રણેય યુવકો એક જ ગામના હતા. ત્યારે એક જ ગામના ત્રણ યુવકોના મોતથી ગામમાં માતમ છવાયો હતો. અકસ્માતની જાણ થતા વિજયનગર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. તો વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news