ગંભીર સાઇડ ઇફેક્ટ બાદ Astrazeneca નો મોટો ફેંસલો, બજારમાંથી પરત મંગાવ્યો કોવિશિલ્ડ વેક્સીનનો જથ્થો

AstraZeneca Latest News: અઝેડએન લિમિટેડે કહ્યું કે તે યૂરોપમાં વેક્સજેવરિયા (Vaxzevria) વેક્સીનના માર્કેટિંગ ઓથરાઇઝેશનને પરત લાવવા માટે આગળ વધશે. 

ગંભીર સાઇડ ઇફેક્ટ બાદ Astrazeneca નો મોટો ફેંસલો, બજારમાંથી પરત મંગાવ્યો કોવિશિલ્ડ વેક્સીનનો જથ્થો

AstraZeneca Latest News: 'કોવિશિલ્ડ' (COVID-19) બનાવનાર એસ્ટ્રાજેનેકા (એઝેડએન લિમિટેડ) દુનિયાભરથી પોતાની કોરોના વેક્સીન પરત લેશે. મંગળવારે (7મે 2024) ના રોજ બ્રિટીશ સ્વીડિશ મૂળની મલ્ટીનેશનલ ફાર્માસૂટિકલ અને બાયોટેક્નોલોજી કંપની તરફથી જણાવ્યું કે તેને વેક્સીનને પરત લેવા સંબંધિત પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સમાચાર એજન્સી 'રોયટર્સ' ના રિપોર્ટમાં આગળ કંપનીના હવાલેથી પણ જણાવવામાં આવ્યું કે માંગમાં ઘટાડાના કારણે તેણે આ પગલું ભરવું પડ્યું છે. 

એઝેડએન લિમિટેડે આ જાણકારી આપી કે તે યૂરોપમાં વેક્સજેવરિયા (Vaxzevria) વેક્સીનના માર્કેટિંગ ઓથરાઇઝેશનને પરત લેવા માટે આગળ વધશે. કંપનીના નિવેદન અનુસાર 'કોરોના મહામારી બાદ ઘણી કોવિડ 19 વેક્સીન બનાવી છે. એવામાં માર્કેટ્સમાં અપડેટેડ વેક્સીન પણ ઉપલબ્ધ છે. એસ્ટ્રાજેનેકાએ એ પણ કહ્યું કે બજારમાં પહેલાંથી ઘણી રસી છે, એટલા માટે તેની વેક્સજેવરિયા વેક્સીનની માંગમાં ઘટાડો આવ્યો છે. એટલા માટે તેને હવે ના તો મેન્યુફેક્ચર કરવામાં આવી રહ્યું છે અન ના તો તેની સપ્લાય થઇ રહી છે.  

બ્લડ ક્લોટનો થઇ શકે છે ખતરો- કોર્ટમાં કંપનીનું કબૂલનામું
કોવિડ 19 વેક્સીન બનાવનાર કંપનીની તરફથી આ પગલું ત્યારે ઉઠાવવામાં આવ્યું છે, જ્યારે કેટલાક દિવસો પહેલાં એસ્ટ્રાજેનેકાએ પહેલીવાર કોર્ટના દસ્તાવેજોમાં સ્વિકાર કર્યો કે ઓક્સફોર્ડ યુનિવર્સિર્ટી સાથે ભાગીદારીમાં વિકસિત તેની રસી દુર્લભ અને ગંભીર બ્લડ કોટનો ખતરો પેદા કરી શકે છે. જોકે વેક્સીનમાં ગરબડ હોવાના સમાચારો સાથે હેલ્થ એક્સપર્ટની તરફથી કહેવામાં આવ્યું હતું કે વેક્સીનના ફાયદા વધુ અને નુકસાન ઓછા છે. એવામાં કોવિશિલ્ડ વેક્સીનને લઇને ગભરાવવાની જરૂર નથી. વેક્સીન સુરક્ષિત છે અને જેને સાઇડ ઇફેક્ટ થવાની હતી, તે વેક્સીનેશન બાદ જ થઇ ગઇ.  

ભારતમાં Covishield નામથી ઓળખાય છે AstraZeneca ની વેક્સીન
ભારતમાં Covishield અને યુરોપમાં Vaxjavria તરીકે વેચવામાં આવતી Oxford-AstraZeneca કોવિડ વેક્સીન વાયરલ વેક્ટર વેક્સીન છે, જે સંશોધિત ચિમ્પાન્ઝી એડેનોવાયરસનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવી હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) સાથે ભાગીદારીમાં હિન્દુસ્તાનમાં ઉત્પાદિત અને માર્કેટિંગ કોવિશિલ્ડ, ભારતમાં લગભગ 90% ભારતીય વસ્તીને વ્યાપકપણે સંચાલિત કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news