Canada India Relation: કેનેડા જવાની તૈયારી કરતા ભારતીયો માટે મહત્વના સમાચાર, સરકારે શું કહ્યું તે ખાસ જાણો

India Canada News: ભારતે કેનેડામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે. હાલમાં ભારત અને કેનેડા વચ્ચે સંબંધો તંગ બન્યા છે. કેનેડાએ પણ ભારતમાં રહેતા કેનેડા નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કર્યા બાદ ભારતે વળતો પ્રહાર કર્યો છે.

Canada India Relation: કેનેડા જવાની તૈયારી કરતા ભારતીયો માટે મહત્વના સમાચાર, સરકારે શું કહ્યું તે ખાસ જાણો

કેન્દ્રની મોદી સરકારે કેનેડાને વધુ એક જડબાતોડ જવાબ આપતા ભારતીય નાગરિકો અને તેમાં પણ ખાસ કરીને ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી  બહાર પાડી છે. ભારત સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવાયું છે કે કેનેડામાં વધતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજનીતિક રીતે સમર્થિત ધૃણિત અપરાધો અને અપરાધિક હિંસાને જોતા કેનેડામાં રહેતા કે ત્યાં જવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકો માટે વધુ સાવધાની વર્તવાનો આગ્રહ કરવામાં આવે છે. 

ભારત સરકારની આ એડવાઈઝરી એટલા માટે પણ કેનેડાને જડબાતોડ જવાબ છે કારણ કે એક દિવસ પહેલા જ કેનેડાની સરકારે એડવાઈઝરી બહાર પાડતા ભારતમાં રહેતા કેનેડિયન નાગરિકોને ઉચ્ચ સ્તરની સાવધાની વર્તવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. કેનેડા તરફથી બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવાયું હતું કે આતંકી હુમલાઓના જોખમને જોતા ભારતમાં વધુ સાવધાની વર્તવી. શક્ય હોય તો ભારતની બિનજરૂરી યાત્રા કરવાથી બચવું

શું છે ભારતે બહાર પાડેલી એડવાઈઝરીમાં?
એડવાઈઝરીમાં કહેવાયું છે કે હાલની ધમકીઓમાં ભારતીય રાજનયિકો અને ભારતીય સમુદાયને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. આ ધમકીઓમાં એવા લોકોને ખાસ કરીને ટાર્ગેટ કરાયા છે જે ભારત વિરોધી એજન્ડાઓની ટીકા કરે છે. આથી ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કેનેડાના એ વિસ્તારો અને સંભવિત સ્થળોની યાત્રા કરવાથી બચો જ્યાં આવી ઘટનાઓ ઘટી છે. 

— Arindam Bagchi (@MEAIndia) September 20, 2023

'ભારતનું હાઈ કમિશન કે વાણિજ્ય દૂતાવાસ કેનેડામાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા અને ભલાઈ સુનિશ્ચિત કરવા માટે કેનેડિયન અધિકારીઓના સંપર્કમાં રહેશે.' કેનેડામાં બગડા સુરક્ષા માહોલને જોતા, વિશેષ રીતે ભારતીય વિદ્યાર્થીઓએ વધુ સાવધાની વર્તવાની જરૂર છે અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. 

તેમાં કહેવાયું છે કે કેનેડામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ઓટાવામાં ભારતીય ઉચ્ચાયોગ કે ટોરેન્ટો તથા વાનકુવરમાં ભારતના મહાવાણિજ્ય દૂતાવાસો સાથે સંબંધિત વેબસાઈટ, કે MADAD પોર્ટલ madad.gov.in ના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આવામાં ઉચ્ચાયોગ અને મહાવાણિજ્ય દૂતાવાસ કોઈ પણ ઈમરજન્સી કે અપ્રિય ઘટનાની સ્થિતિમાં કેનેડામાં ભારતીય નાગરિકોની સાથે સારી રીતે જોડાવવામાં સક્ષમ હશે. 

અત્રે જણાવવાનું કે કેનેડાના નાગરિક અને ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની બે અજાણ્યા બંદૂકધારીઓએ જૂનમાં હત્યા કરી હતી. જસ્ટિન ટ્રુડોએ સોમવારે કેનેડાની સંસદમાં કહ્યું હતું કે નિજ્જરની હત્યા અને ભારત સરકારના એજન્ટ વચ્ચે સંબધિત સંબંધના આરોપની કેનેડાની સુરક્ષા એજન્સીઓ પૂરી સક્રિયતાથી તપાસ કરી રહી છે. ભારતે જસ્ટિન ટ્રુડોના આરોપોને ધરાર ફગાવી દીધા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news