કર્નાટક: ભાજપે સાધ્યું નિશાન, કુમારસ્વામીને કહ્યા ‘એક્સીડેન્ટલ ચીફ મિનિસ્ટર’

ભાજપે કર્નાટક એકમને ટ્વિટ કરી કહ્યું, જ્યારથી નવી સરકાર આવી છે, 377 ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. 156 તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. દેવુ માફી હજૂ સુધી કરવામાં આવ્યું નથી.

કર્નાટક: ભાજપે સાધ્યું નિશાન, કુમારસ્વામીને કહ્યા ‘એક્સીડેન્ટલ ચીફ મિનિસ્ટર’

બેંગલુરૂ: કર્નાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીને ‘એક્સીડેન્ટલ ચીફ મિનિસ્ટર’ (સંયોગવશ મુખ્યમંત્રી) જણાવતા વિપક્ષી ભાજપે મોટાભાગમાં રાજ્ય દુકાળની પકડમાં આવ્યું છે તો તેઓ પોતાનું નવું વર્ષ ઉજવવા સિંગાપુર ગયા પર કટાક્ષ કર્યો છે.

ભાજપ કર્નાટક એકમને ટ્વિટ કરી કહ્યું, જ્યારથી નવી સરકાર આવી છે, 377 ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. 156 તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. દેવુ માફી હજૂ સુધી કરવામાં આવ્યું નથી. કર્નાટક દેવામાં ડૂબેલું રાજ્ય થઇ ગયું છે અને તે આપણા ધરતીપૂત્ર એચ ડી કુમારસ્વામી સિંગાપુરમાં નવા વર્ષની ઉજવણી કરશે.

ભાજપના પ્રદેશ એકમે એક અન્ય ટ્વિટ કર્યું, જો એક્સીડેન્ટલ સીએમ નામની ફિલ્મ બનાવવામાં આવે તો એચ ડી કુમારસ્વામીની ભૂમિકા કોન નિભાવશે. જણાવી દઇએ કે હાલમાં જ ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે. ત્યારબાદથી આ ફિલ્મ ચર્ચાના કેન્દ્રમાં રહી છે. આ ફિલ્મ 2004-2008 સુધી સિંહના મીડિયા સલાહકાર રહેલા સંજય બારૂની આ નામની પુસ્તક પર આધારીત છે. આ ફિલ્મમાં અનુપમ ખેરે પૂર્વ પીએમ મનમોહન સિંહની ભૂમિકા નિભાવી છે.

મુખ્યમંત્રી કાર્યાલયે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે કુમારસ્વામી ખાનગી પ્રવાસ પર શનિવાર રાત્રે પરિવાર સાથે વિદેશ જશે અને પહેલી જાન્યૂઆરી 2019ની રાત્રે પરત ફરશે. સીએમઓના અધિકારીઓએ કહ્યું કે કુમારસ્વામી ગત કેટલાક વર્ષથી પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા પહેલા પણ જતા હતા.

મુખ્યમંત્રી વિદેશ યાત્રા પર એવા સમયે જઇ રહ્યાં છે જ્યારે સત્તારૂઢ ગઠબંધનના સાથી કોંગ્રેસની સામે તેમની પોતાની પાર્ટી જેડી(એસ)થી અસંતોષનો સ્વર ઉઠાવી રહ્યાં છે.
(ઇનપુટ ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news