જમ્મુ-કાશ્મીરમાં વોટ્સએપ કોલિંગ પર લાગી શકે છે પ્રતિબંધ કારણ કે...

હાલમાં સરકાર સ્થિતિની સમીક્ષા કરી રહી છે

જમ્મુ-કાશ્મીરમાં વોટ્સએપ કોલિંગ પર લાગી શકે છે પ્રતિબંધ કારણ કે...

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર જેવા અશાંત વિસ્તારમાં વોટ્સએપ કોલિંગની સુવિધા રોકવી કેટલી યોગ્ય છે એ મુદ્દાની સમીક્ષા કરશે. મળતી માહિતી પ્રમાણે સીમા પારના પોતાના સંપર્કો જાળવી રાખવા માટે આતંકીઓ આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. આ સિવાય સમગ્ર વિસ્તારમાં અશાંત પરિસ્થિતિ ઉભી કરવા માટે પણ આ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

ગૃહ સચિવ રાજીવ ગૌબાના વડપણમાં યોજાયેલી એક બેઠકમાં આ સમીક્ષાને મંજૂરી આપી દેવામાં આવી છે. બેઠકમાં 2016માં નગરોટામાં એક સેના શિબિર પર થયેલાઆતંકી હુમલાના મામલામાં પકડાયેલા આતંકવાદીઓના નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસને માહિતી આપી હતી કે તેમને વોટ્સએપ કોલ મારફતે સીમા પારથી નિર્દેશ મળતા હતા. આ આતંકી હુમલામાં સાત સૈન્યકર્મી મૃત્યુ પામ્યા હતા. 

આ બેઠકમાં ઇલેકટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ, સુરક્ષા એજન્સીઓ તેમજ જ્મ્મુ-કાશ્મીર પોલીસના ટોચના અધિકારીઓ શામેલ થયા હતા. આ બેઠકમાં ‘કીપેડ જેહાદી’ દ્વાર સોશિયલ મીડિયા પર ભડકાઉ સામગ્રી નાખીને શાંતિ ડહોળવાના પ્રયાસોની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારના જેહાદીઓ અફવાઓ ફેલાવીને કે પછી કોઈ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપીને ઇન્ટરનેટથી માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news