કોવિડ વેક્સિનના કારણે ગુજરાત સહિત ભારતમાં હાર્ટ એટેકના કેસ વધ્યા? ICMR શોધી રહી છે આ 3 સવાલોના જવાબ

એપ્રિલ 2021 સુધીમાં જ્યારે ભારતમાં કોરોનાએ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે સામાન્ય લોકો માટે રસીકરણ શરૂ થઈ ગયું હતું. આ સમયગાળા દરમિયાન દેશભરમાં અનેક લોકોના મોત થયા હતા. કેટલાકના મોત કોરોના વાયરસના કારણે થયા છે

કોવિડ વેક્સિનના કારણે ગુજરાત સહિત ભારતમાં હાર્ટ એટેકના કેસ વધ્યા? ICMR શોધી રહી છે આ 3 સવાલોના જવાબ

ઝી બ્યુરો/નવી દિલ્હી: વર્ષ 2019માં ચીનમાં કોરોના વાયરસે દસ્તક આપી હતી. તેની શરૂઆત ચીનથી થઈ હતી પરંતુ ધીરે ધીરે આ વાયરસે આખી દુનિયાને ઘેરી લીધી. વર્ષ 2020 સુધીમાં ભારતમાં સ્થિતિ વધુ ખરાબ થતી જોઈને લોકડાઉન લાદવું પડ્યું. ત્યારબાદ કોરોના રસી બનાવવાના પ્રયાસો શરૂ થયા અને ઘણા દેશોએ આ રોગનો તોડ શોધી કાઢ્યો, જેમાં ભારત પણ સામેલ છે. જો કે, 2021 સુધીમાં સમગ્ર ભારતમાં લોકોને કોરોના રસી આપવાનું શરૂ થયું. જો કે તેની સાથે હાર્ટ એટેકના કેસમાં પણ અચાનક વધારો જોવા મળ્યો હતો, એટલે એવો સવાલ ઉભો થયો છે કે કોરોના રસીના કારણે હાર્ટએટેકનો ખતરો વધ્યો કે શું? તેના માટે ICMR તેના પાછળ રિસર્ચ કરી રહ્યું છે.

એપ્રિલ 2021 સુધીમાં જ્યારે ભારતમાં કોરોનાએ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે સામાન્ય લોકો માટે રસીકરણ શરૂ થઈ ગયું હતું. આ સમયગાળા દરમિયાન દેશભરમાં અનેક લોકોના મોત થયા હતા. કેટલાકના મોત કોરોના વાયરસના કારણે થયા છે જ્યારે કેટલાકના મોત હાર્ટ એટેક અને અન્ય બીમારીઓને કારણે થયા છે. આ પછી સવાલો ઉઠવા લાગ્યા કે કોરોના વાયરસને રોકવા માટે બનાવવામાં આવેલી વેક્સીનને કારણે લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધી ગયો છે.

ICMR કરી રહ્યું છે અભ્યાસ 
આ આરોપો પર ICMR અભ્યાસ કરી રહ્યું છે. આ અભ્યાસનો પ્રારંભિક અહેવાલ જુલાઈ 2023માં પ્રકાશિત કરવામાં આવશે. આ અભ્યાસમાં ICMR ભારતમાં યુવા વસ્તીમાં કોવિડ-19 રસીકરણ અને વધતા હાર્ટ એટેક વચ્ચેની કડીને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મજબૂત પરિણામ પર પહોંચ્યા બાદ જ સાર્વજનિક કરવામાં આવશે રિપોર્ટ
આ અભ્યાસનો પ્રાથમિક અહેવાલ થોડા સમય માટે પેન્ડિંગ છે. તેને પ્રકાશિત કરતા પહેલા ICMR અત્યાર સુધી જાહેર થયેલા તારણોની સમીક્ષા કરી રહ્યું છે. ICMR આ રિપોર્ટ અંગે ખૂબ જ ઊંડો અભ્યાસ કરી રહ્યું છે. તેથી જ્યારે તેની સંપૂર્ણ પુષ્ટિ થાય ત્યારે જ તેના આંકડા જાહેર કરવાનો પ્રયાસ કરશે.

આ પ્રશ્નોની શોધમાં વ્યસ્ત છે ICMR 
હૃદયરોગના હુમલામાં અચાનક વધારો અને કોવિડ-19 રસીકરણ સાથેના તેમના સંબંધની તપાસ કરવા માટે ICMR કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કરી રહ્યું છે. આ પ્રશ્નો છે...

  • 1. શું રસીકરણ પછી લોકો કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા છે?
  • 2. શું કોવિડને રોકવા માટે બનાવવામાં આવેલી રસી મૃત્યુ માટે જવાબદાર હતી?
  • 3. જે દર્દીએ કોવિડના ગંભીર તબક્કામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો અથવા તે લાંબા સમયથી તેનાથી પીડાતો હતો?

40 હોસ્પિટલોમાંથી એકત્રિત કરવામાં આવ્યો ડેટા 
આ અભ્યાસ માટે સેમ્પલની સાઈઝ તરીકે ICMR એ 40 હોસ્પિટલોમાંથી ક્લિનિકલ નોંધણી વિશે માહિતી લીધી છે. આમાંથી ઘણા દર્દીઓના ડેટા પણ એઈમ્સમાંથી લેવામાં આવ્યા છે. માહિતી અનુસાર, 14,000 લોકોના સેમ્પલ સાઈઝમાંથી 600 લોકોના મોત થયા છે.

આરોગ્ય મંત્રીએ સ્વીકારી હતી આ વાત 
જણાવી દઈએ કે માર્ચ મહિનામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એક ચેનલના સમિટમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે સ્વીકાર્યું કે કોરોના પછી હાર્ટ એટેકના કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. પછી તેમણે કહ્યું કે આ અંગે ચર્ચા થઈ છે અને ICMR આ મામલે અભ્યાસ કરી રહ્યું છે.

રિપોર્ટિંગમાં થઈ રહ્યો છે વિલંબ
માંડવિયાએ કહ્યું હતું કે, અમારી પાસે રસીકરણના આંકડા છે. તેમણે કહ્યું કે ICMR કેટલાક પ્રશ્નો પર છેલ્લા 3-4 મહિનાથી આ મુદ્દાનો અભ્યાસ કરી રહ્યું છે. તેનો રિપોર્ટ 6 મહિનામાં આવવાનો હતો. પરંતુ હવે એવું માનવામાં આવે છે કે આ અભ્યાસનો રિપોર્ટ જુલાઈ મહિનામાં જાહેર કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ કહ્યું હતું કે એઈમ્સ દિલ્હી દ્વારા હાર્ટ એટેકથી થયેલા મૃત્યુના ડેટાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. માંડવિયાએ સ્વીકાર્યું હતું કે કોરોના વેક્સીનનું ઉત્પાદન માત્ર ભારતની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જ નહીં પરંતુ નિકાસ માટે પણ વધારવામાં આવ્યું હતું.

ભારતના રસીકરણની સમગ્ર વિશ્વમાં ચર્ચા
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભારતને વિનાશક અસરનો સામનો કરવો પડશે. પરંતુ આજે વિશ્વભરમાં શ્રેષ્ઠ વેક્સીન અભિયાન અને કોરોના મેનેજમેન્ટ માટે ભારતની પ્રશંસા થઈ રહી છે. બિલ ગેટ્સે પણ ભારતના વખાણ કર્યા હતા.

યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધ્યા
ઇન્ડિયન હાર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, વર્ષોથી 50 વર્ષથી ઓછી ઉંમરના 50 ટકા લોકોમાં અને 40 વર્ષથી ઓછી ઉંમરના 25 ટકા લોકોમાં હાર્ટ એટેકનું જોખમ જોવા મળ્યું છે. મતલબ કે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે અને સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ હૃદયરોગથી પીડિત છે. બ્લડ પ્રેશર, સુગર, સ્ટ્રેસ, સ્થૂળતા અને અનિયમિત જીવનશૈલીને હૃદયરોગના મુખ્ય કારણો તરીકે જોવામાં આવે છે.

ઘણા નિષ્ણાતો માને છે કે કોવિડ સંક્રમણ પછી શરીરમાં લોહી ગંઠાઈ જવાની ઘટનાઓ ઝડપથી વધી છે અને અભ્યાસ પણ ચાલી રહ્યો છે કે શું હૃદયની આ વધતી બિમારીઓ પાછળ કોઈ કોરોના કનેક્શન છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news