એક એવું ગામ જ્યાં 7 દાયકાથી નથી કરાયું હોળીકા દહન, કેમ ગામ લોકો નથી સાંભળતા કોઈની વાત?

Holi 2023: એક એવું ગામ જ્યાં 70 વર્ષથી નથી કરવામાં આવ્યું હોળીકા દહન, કારણ જાણીને ચોંકી જશો. તમે પણ વિચારમાં પડશો કે એવું તો શું થયું હશે કે અહીં હોળીકા દહન કરવામાં નથી આવતું...

એક એવું ગામ જ્યાં 7 દાયકાથી નથી કરાયું હોળીકા દહન, કેમ ગામ લોકો નથી સાંભળતા કોઈની વાત?

Holi 2023: હરણી ગામમાં 70 વર્ષ પહેલા હોળીકા દહન દરમિયાન આ વિસ્તારમાં આગ લાગી હતી. આ પછી ગામલોકોએ એક એવો અનોખો નિર્ણય લીધો જે સમગ્ર દેશ માટે એક ઉદાહરણ બની ગયો છે. હોળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ રંગોના તહેવારની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં રાજસ્થાનના ભીલવાડા શહેરને અડીને આવેલા હરણી ગામમાં 70 વર્ષ પહેલા હોળીકા દહન દરમિયાન આ વિસ્તારમાં આગ લાગી હતી. આ પછી ગામલોકોએ એક એવો અનોખો નિર્ણય લીધો, જે આજે માત્ર રાજસ્થાન માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક ઉદાહરણ બની ગયો છે. આ સાથે જ દરેક પર્યાવરણવાદી તેના વખાણ કર્યા વિના રહી શકતા નથી. આ ખાસ પરંપરાને કારણે હવે આ ગામની ખ્યાતિ દેશમાં દૂર દૂર સુધી ફેલાઈ ગઈ છે.

ગામમાં હોળીકા દહન નહીં થાય-
જણાવી દઈએ કે ભીલવાડા જિલ્લા મુખ્યાલયથી 5 કિમી દૂર હરની ગામમાં 70 વર્ષ પહેલાં હોળીકા દહન દરમિયાન એક તણખલાએ આખા ગામમાં આગ લાગી ગઈ હતી અને એ કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ પછી ગ્રામજનોએ એક પંચાયત બોલાવીને નિર્ણય લીધો કે ગામમાં હોળીકા દહન નહીં થાય. જો કે આ નિર્ણય પછી અહીંથી એક અનોખી પરંપરા શરૂ થઈ હતી. 

ચાંદીની હોળી અને સોનાનો પ્રહલાદ બનાવાયો-
આ નિરી પછી ગ્રામજનોએ દાન આપીને ચાંદીની હોળી અને સોનાનો પ્રહલાદ બનાવ્યો હતો. સાથે જ હોળીના તહેવાર પર ગામમાં સ્થિત 500 વર્ષ જૂના શ્રી હરણી શ્યામ મંદિરથી શોભાયાત્રાના સ્વરૂપમાં હોળીકા દહનના સ્થળે લાવવામાં આવે છે. ત્યાર બાદ એ સમુદાયના લોકો ત્યાં પ્રાર્થના કરે છે. ત્યારબાદ તેને મંદિરમાં રાખવામાં આવે છે. ત્યારથી લઈને આજ સુધી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.

એ બાદ ક્યારેય ગામમાં હોળીકા દહન નથી થયું-
હરણી ગામમાં રહેતા સ્થાનિકોનું કહેવું છે કે  70 વર્ષ પહેલા હોળીના દિવસે આગ ફાટી નીકળ્યા બાદ ગ્રામજનોએ ચાંદીની હોળીકા અને પ્રહલાદ સોનાની બનાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારથી ત્યાંના લોકો  તેની પૂજા કરે છે. અહીં તમામ સમુદાયના લોકો પ્રાર્થના કરે છે. આ નિર્ણય પછી ગામમાં ક્યારેય હોળીકા દહન થયું નથી. તેને કારણે આગ લગાવવાની પરંપરા અટકી અને આ કારણે વૃક્ષો અને છોડ પણ બચ્યા છે.  આખા દેશમાં આ એક એવું ગામ છે, જે હોળીકાનું દહન ન કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપી રહ્યું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news