વિવાદો પછી જસ્ટિસ સીકરીએ સરકારી ઓફર નકારી, સી.એસ.ટી. માટે પાછી ખેંચી સંમતિ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કહી કહ્યું કે, ‘જ્યારે ન્યાયના માપદંડ સાથે ચેડા થાય છે ત્યારે અરાજકતાનું રાજ થઇ જાય છે.’ સૂત્રોએ કહ્યું કે કોમનવેલ્થ ટ્રાયબ્યુનલના પદ માટે સીકરીની સંમતિ ‘મૌખિક રીતથી’ લેવામાં આવી હતી.

વિવાદો પછી જસ્ટિસ સીકરીએ સરકારી ઓફર નકારી, સી.એસ.ટી. માટે પાછી ખેંચી સંમતિ

નવી દિલ્હી: જસ્ટિસ એકે સીકરીએ રવિવારે સરકારી દરખાસ્ત માટે તેમની સંમતિ પાછી ખેંચી લીધી. જેના અંતર્ગત તેમને લંડન સ્થિત કોમનવેલ્થ સચિવાલય મધ્યસ્થી ટ્રાયબ્યુનલ (સીએસએટી)માં અધ્યક્ષ/સભ્ય તરીકે નામાંકન કરવાના હતા. માનવામાં આવી રહ્યું છે કે સરકારે ગત વર્ષના અંતમાં સીએસએટી માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સીકરીના નામની ભલામણ કરવામાં આવી હતી.

એક મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કહી કહ્યું કે, ‘જ્યારે ન્યાયના માપદંડ સાથે ચેડા થાય છે ત્યારે અરાજકતાનું રાજ થઇ જાય છે.’ સૂત્રોએ કહ્યું કે કોમનવેલ્થ ટ્રાયબ્યુનલના પદ માટે સીકરીની સંમતિ ‘મૌખિક રીતથી’ લેવામાં આવી હતી.

મુખ્ય ન્યાયમૂર્તિના બાદ દેશના બીજા સૌથી વરિષઠ ન્યાયમૂર્તિના એક નજીકી સૂત્રએ જમાવ્યું કે ન્યાયાધીશે રવિવાર સાંજે કાયદા મંત્રાલયે લખીને સંમતિ પાછી ખેંચી લીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news