Odisha Train Accident: બાલાસોર રેલવે દુર્ઘટનાની તપાસ CBI કરશે, રેલ મંત્રીનું મોટુ નિવેદન

Odisha Train Accident Update: ઓડિશાના બાલાસોરમાં થયેલ રેલ દુર્ઘટનામાં અત્યાર સુધી 275 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 1100થી વધુ લોકોને ઈજા થઈ હતી. હવે આ દુર્ઘટનાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની ભલામણ રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવી છે, જેની માહિતી રેલ મંત્રીએ આપી છે. 

Odisha Train Accident: બાલાસોર રેલવે દુર્ઘટનાની તપાસ CBI કરશે, રેલ મંત્રીનું મોટુ નિવેદન

નવી દિલ્હીઃ Coromandel Train Accident: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે (2 જૂન) ના રોજ થયેલા ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધી 275 લોકોના મોત થયા છે. બીજીતરફ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. આ રૂટ પર ફરી ટ્રેન સેવા શરૂ થાય તે માટે રેલવે તંત્ર સતત કામ કરી રહ્યું છે. આ વચ્ચે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ છે કે ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે સીબીઆઈ તપાસ કરશે. તેમણે કહ્યું કે રેલવે બોર્ડે આ ભલામણ કરી છે. 

સીબીઆઈ તપાસ કરશે
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે ભીષણ ટ્રેન દુર્ઘટના સર્જાય હતી. જેમાં એક સાથે ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 275 લોકોના મૃત્યુ થયા છે. હવે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે, આ ઘટનાની તપાસ સીબીઆઈ કરશે. રેલ મંત્રીએ કહ્યુ કે બે લાઇનમાં પાટાના સમારકામનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં જે લોકોના મૃત્યુ થયા છે તેના પરિવાર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રેલવે બોર્ડ તરફથી આ મામલાની સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી છે. 

— ANI (@ANI) June 4, 2023

700થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર બાદ મળી રજા
મુખ્ય સચિવે જણાવ્યું હતું કે રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી શબઘરમાં રાખવામાં આવેલા તમામ મૃતદેહોના ડીએનએ ટેસ્ટ પણ કરી રહી છે. તેમણે કહ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા 1,175 લોકોમાંથી 793 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

દુર્ઘટના અંગે રેલવે બોર્ડે આપી માહિતી
રેલવે બોર્ડના સભ્ય જયા વર્મા સિન્હાએ દુર્ઘટના વિશે માહિતી આપતા કહ્યું કે કોરોમંડલ એક્સપ્રેસને બહાનાગા સ્ટેશનથી નિકળવા માટે ગ્રીન સિગ્નલ મળ્યું હતું. આ ટ્રેનની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક છે અને દુર્ઘટના દરમિયાન તે 128ની સ્પીડથી ચાલી રહી હતી, જે સ્પષ્ટ દર્શાવે છે કે આ ઓવરસ્પીડિંગનો મામલો નથી. શરૂઆતી તપાસમાં  જાણવા મળ્યું કે સિગ્નલિંગમાં પરેશાની હતી. ગ્રીન સિગ્નલ હોવાને કારણે તે પોતાની ગતિથી દોડી રહી હતી અને લૂપ લાઇનમાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ. ગતિ એટલી વધુ હતી કે ટ્રેનનું એન્જિન માલગાડીના ડબ્બા પર ચઢી ગયું.

કોરોમંડલ એક્સપ્રેસ યશવંતપુર એક્સપ્રેસની છેલ્લી બે બોગી સાથે અથડાઈ હતી
જયા વર્માએ વધુમાં જણાવ્યું હતું કે માલસામાન ટ્રેન પાટા પરથી ઉતરી ન હતી કારણ કે માલસામાન ટ્રેન લોખંડનું વહન કરતી હતી. જેના કારણે કોરોમંડલ એક્સપ્રેસને સૌથી વધુ નુકસાન થયું હતું. તે મોટી સંખ્યામાં મૃત્યુ અને ઇજાઓનું કારણ છે. કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરેલા કોચ ડાઉન લાઇન પર આવ્યા અને ડાઉન લાઇન પર 128 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી યશવંતપુર એક્સપ્રેસના છેલ્લા બે કોચ સાથે અથડાઈ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news