ના જાણતા હોવ તો જોણી લેજો રેલવેનો આ નિયમ, ગમે ત્યારે મુસાફરીમાં કામ લાગશે

Indian Railway Rules: ભારતીય રેલ્વેના નિયમો અનુસાર તમે ઇચ્છો તો પણ, અને તમે સીટ બુક કરાવી હોય તો પણ તમે ચોક્કસ સમય પહેલા અને પછી ટ્રેનની મિડલ બર્થ પર સૂઈ નહીં શકો..

ના જાણતા હોવ તો જોણી લેજો રેલવેનો આ નિયમ, ગમે ત્યારે મુસાફરીમાં કામ લાગશે

Indian Railway Rules: દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. તેથી જ ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે. લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા રિઝર્વેશન કરાવે છે. ટિકિટ બુક કરતી વખતે, લોકોને એ વિકલ્પ પણ આપવામાં આવે છે કે તેઓ કઈ સીટ લેવા માંગે છે. આવી સ્થિતિમાં, એવું જોવામાં આવ્યું છે કે મોટાભાગના લોકો લોઅર બર્થ અથવા અપર બર્થ લેવાનું પસંદ કરે છે. લોકો મિડલ બર્થ લેવામાં વધારે રસ દાખવતા નથી. હવે તેની પાછળ રેલવેનો એવો નિયમ છે, જેના કારણે લોકો આ સીટ લેવાનું બિલકુલ પસંદ કરતા નથી.

તમે મુસાફરી દરમિયાન જોયું જ હશે કે ટ્રેનના એક સેક્શનમાં લોઅર બર્થ, મિડલ બર્થ, અપર બર્થ, સાઇડ અપર બર્થ અને સાઇડ લોઅર બર્થ આપવામાં આવે છે. આમાં તમે ઇચ્છો તો પણ નિશ્ચિત સમય પહેલાં અને પછી મિડલ બર્થ પર સૂઈ શકતા નથી અથવા બેસી શકતા નથી. કારણ કે ભારતીય રેલ્વેના નિયમો મુજબ, મિડલ બર્થનો પેસેન્જર રાત્રે 10:00 વાગ્યા પહેલા અને સવારે 6:00 વાગ્યા પછી તેની બર્થ પર સૂઈ શકતા નથી.

તે રાત્રે 10:00 વાગ્યા પછી અને સવારે 6:00 વાગ્યા સુધી જ તેમની સીટ પર સૂઈ શકે છે. આવી સ્થિતિમાં, જો મુસાફરી દરમિયાન થાકી ગયા હોવ અને સૂવા માંગતા હોવ તો પણ તેણે રાત્રે 10 વાગ્યા સુધી ટ્રેનમાં બેસી રહેવું પડે છે. બીજી તરફ જો તે રેલવેના આ નિયમનું પાલન નહીં કરે તો તેની સામે રેલવે દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

બીજી તરફ, હવે ટિકિટ ચેકિંગના નિયમની વાત કરીએ તો, શું તમે જાણો છો કે તમે જેને TTE (ટ્રાવેલ ટિકિટ એક્ઝામિનર) તમારી ટિકિટ દિવસના સમયે જ ચેક કરી શકે છે. તે ટિકિટ ચેકિંગના નામે રાત્રે 10 વાગ્યા પછી તમને પરેશાન કરી શકે નહીં. TTE તમારી ટિકિટ દિવસના 6:00 થી 10:00 વાગ્યાની વચ્ચે જ ચેક કરી શકે છે. બીજી તરફ જો TTE આ નિયમનું પાલન ન કરે તો તેની સામે પણ કડક કાર્યવાહી થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news