World Heritage Day 2024: ભારતના 5 ગૌરવશાળી સ્થળ, જેને UNESCO તરફથી મળ્યો છે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો

World Heritage Day 2024: વિશ્વ હેરિટેજ દિવસ દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ સાંસ્કૃતિક વારસાના મહત્વને પ્રોત્સાહન આપવાનો અને ઐતિહાસિક સ્થળો અને સ્મારકોની જાળવણી માટે જાગૃતિ લાવવાનો છે. ભારત પોતાના રિચ ઈતિહાસ અને ડાયવર્સ સંસ્કૃતિ માટે જાણીતું છે. અહીં એવા ઘણા શાનદાર સ્થળ છે, જેને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. આપણે ભારતના 5 એવા હેરિટેજ સ્થળ વિશે જાણીશું જેને યુનેસ્કો દ્વારા વૈશ્વિક માન્યતા પ્રાપ્ત છે.
 

આગ્રાનો કિલ્લો

1/5
image

આગ્રાનો કિલ્લો 16મી સદીનું એક વિશાળ સ્મારક છે, જે મુગલ આર્કિટેક્ચરનું એક શાનદાર ઉદાહરણ છે. આ કિલ્લાનું નિર્માણ 1542માં સમ્રાટ અકબર દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ કિલ્લો મુગલ સામ્રાજ્યના શાસકોનું મુખ્ય નિવાસ હતો. તેની ઊંચી દીવાલો, વિશાળ દરવાજા અને સફેદ આરતની ઇમારતો તેની ભવ્યતા દર્શાવે છે. આગ્રાનો કિલ્લો લાલ કિલ્લાનો પૂર્વવર્તી છે અને તેને 1983માં યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવામાં આવ્યો હતો.

તાજમહેલ

2/5
image

તાજમહેલ દુનિયાની સાત અજાયબીમાંથી એક છે અને ભારતનો સૌથી પ્રસિદ્ધ વારસો છે. મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદીમાં 1632થી 1654 વચ્ચે આ સફેદ આરસના મકબરાનું નિર્માણ કરાવ્યું હતું. આ મકબરો મુગલ આર્કિટેક્ચરનો એક માસ્ટરપીસ છે અને તેમાં ફારસી આર્કિટેક્ચરના તત્વોને પણ સામેલ કરવામાં આવ્યા છે. તાજમહેલ પોતાની જટિલ જાળી, સુંદર બગીચા અને ચારે તરફથી ડિઝાઇન માટે પ્રસિદ્ધ છે. તેને 1983માં યુનેસ્કોના વિશ્વ હેરિટેજ સ્થળના રૂપમાં જાહેર કરવામાં આવ્યો હતો.

એલોરા અને અજન્તાંની ગુફાઓ

3/5
image

એલોરા અને અજન્તાની ગુફાઓ બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને જૈન ધર્મથી જોડાયેલી પ્રાચીન રોક-કટ સ્મારક છે. અજન્તાની ગુફાઓ વિશેષ રૂપથી પોતાના શાનદાર ભીંત ચિત્રો માટે પ્રસિદ્ધ છે. જે બૌદ્ધ ધર્મની કહાનીઓ અને જાતકોને દર્શાવે છે. એલોરાની ગુફાઓ પોતાની જિટેલ આર્કિટેક્ચર માટે જાણીતી છે. જેમાં કૈલાશ મંદિર, જેમાં કૈલાશ મંદિરનો સમાવેશ થાય છે, એક એકવિધ ખડકમાંથી કોતરવામાં આવેલ ભવ્ય મંદિર. 

ગોવાનું ચર્ચ અને મઠ

4/5
image

ગોવાનું ચર્ચ અને મઠ પોર્ટુગલી કોલોનિયન આર્કિટેક્ચરનું શાનદાર ઉદાહરણ છે. ગોવામાં 16મી અને 17મી સદી દરમિયાન ઘણા ચર્ચ અને મઠ બનાવવામાં આવ્યા હતા, જે ઈસાઈ ધર્મના પ્રસારના કેન્દ્રના રૂપમાં કામ કરતા હતા. આ ચર્ચ અને મઠ પોતાની યુરોપીય અને ઈન્ડિયન આર્કિટેક્ચરલ સ્ટાઇલના મિશ્રણ માટે જાણીતા છે. 

સૂર્ય મંદિર, કોણાર્ક

5/5
image

સૂર્ય મંદિર, કોણાર્કને 13મી સદીમાં રાજા નરસિંહદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે સૂર્ય દેવતાને સમર્પિત એક હિન્દુ મંદિર છે. આ મંદિર એક વિશાળ રથ આકારનું છે. જેના પૈંડા સૂર્યના 24 પાસાનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્ય મંદિર પોતાની જટિલ, આર્કિટેક્ચર, શાનદાર મૂર્તિઓ અને ધાતુની કલાકૃતિઓ માટે જાણીતું છે.