આ ગુજરાતી બર્ડમેનનો અનેરો પક્ષી પ્રેમ! રોજ 5 હજાર પક્ષીઓને ખવડાવીને ખાય છે, અનોખી મિશાલ

અશોક બારોટ, જૂનાગઢ: આજના ઝડપી અને કોમ્પ્યુટરાઈઝ યુગમાં અબોલ જીવ પ્રત્યે લગાવ રાખી હજારો પક્ષીઓની સંભાળ અને સૃસુશા કરતા એક પક્ષી પ્રેમીની વાત છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં માત્ર 10 વિઘા જમીન ખેતીવાડી ધરાવતા હરસુખભાઈ ડોબરીયા વ્યવસાયે ખેડૂત હોવાથી ખેતીકામ કરી ધન્યતા અનુભવે છે. 

1/5
image

ખેતી કામ સાથે પક્ષી પ્રત્યે પ્રેમ દર્શાવી બર્ડમેન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર હરસુખભાઈ ડોબરીયા છેલ્લા 27 વર્ષથી પોતાની 10 વિઘા જમીનમાં થતી પાકોની આવક માત્ર હજારો પક્ષીઓને ચણ આપી અબોલ પક્ષીઓની સંભાળ સાથે પક્ષી પ્રેમ વ્યક્ત કરી ધન્યતા અનુભવે છે. ખેતીની આવકમાંથી હરસુખભાઈ હજારો પક્ષીઓ માટે બાજરાના ડુંડા ખરીદી ખવડાવે છે. 

2/5
image

વધુમાં હરસુખભાઈએ જણાવ્યુ કે જૂન માસમાં ચોમાસાના દિવસોમાં પક્ષીઓને ખાવાનું મર્યાદિત મળતું હોવાથી અમારી વાડીએ એક વખત બાજરાના ડુંડા રાખતા પ્રથમ 2 પોપટ આવ્યા ત્યારબાદ 5 પાંચ પોપટ આવ્યા અને ધીમે ધીમે પક્ષીઓની સંખ્યા વધતા અમે બાજરાના ડુંડા મુકવા ખાસ સ્ટેન્ડ બનાવ્યું અને હાલમાં આજે પાંચ હજાર પક્ષીઓમાં પોપટ સહિત ચકલા, ચકલીઓ, અને કબૂતર સહિત અન્ય પક્ષીઓ વાડીએ આવે છે અને બાજરાના પોતાની તૃષા સંતોષી રહ્યા છે. 

3/5
image

પોપટ સાથે પ્રેમની કહાનીમાં તેમના પત્નીની સેવા અને પુત્રની સેવા પણ રહેલી છે, અને અબોલ પક્ષીઓને ખવડાવી ધન્યતા અનુભવતા ખેડૂત પરિવાર રોજના પાંચ હજાર પક્ષીઓની સાર સંભાળ લઈ પક્ષી પ્રત્યેનો પ્રેમ અનેરી રીતે દર્શાવી ખુદને ધન્યતા અનુભવી રહ્યા છે.

4/5
image

લોકોને પક્ષીઓ પ્રત્યેનો સંદેશ આપતા હરસુખભાઈએ  જણાવ્યું કે અબોલ પક્ષીઓને ઉડવા માટે કુદરતે વિશાળ ગગન આપ્યું છે માટે પક્ષીઓને પોતાની રીતે ગગનમાં વિહરવા દેવા જોઈએ નહીં કે ઘરમાં પિંજરામાં કેદ કરી પક્ષીઓનો કુદરતી રીતે વિહરવાનો હક્ક છીનવી લઈએ અને અબોલ પક્ષીઓને ઘરમાં પિંજરામાં કે અન્ય રીતે કેદ કરી બંધનમાં રાખવાનો માનવ જાતને કોઈ અધિકાર જ નથી.

5/5
image

કોરોના કાળના લોકડાઉનમાં જ્યારે આપણે ઘરમાં કેટલા મહિના કેદ રહ્યા ત્યારે સમગ્ર માનવ જાત કંટાળી ગઈ હતી ત્યારે આ તો કુદરતના ખોળે ખેલનારા અને મુક્ત રીતે વિહારનારા કુદરતના સર્જેલા અબોલ પક્ષીઓ છે તેમને મુક્ત રાખવા બેડમેને અંતમાં લોકોને અપીલ કરી ઉત્તમ સંદેશ આપ્યો હતો.